મોદી સરકારે પેન્શનરોને ઘણા વિભાગોનાં ધક્કા ખાવાથી મુક્તિ અપાવવા માટે 'સિંગલ વિન્ડો' સ્થાપિત કરવાની ઘોષણા કરી છે. જાણો આ વિષે વિગતવાર
હવે પેન્શનને લગતા કામ માટે અલગ અલગ વિભાગોનાં ધક્કા નહી ખાવા પડે
'સિંગલ વિન્ડો' પોર્ટલ સ્થાપિત કરવાની કરવામાં આવી ઘોષણા
ઓનલાઈન જ સમસ્યાઓનું સમાધાન મળી જશે
પેન્શનર્સ માટે સારા સમાચાર
મોદી સરકાર પેન્શનરો અને નિવૃત્ત સિનીયર સિટીઝન્સને ઘણા વિભાગોનાં ધક્કા ખાવાથી મુક્તિ અપાવવા માટે પેન્શન સાથે જોડાયેલ સુવિધાઓને એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવવા માટે મોટું પગલું ભરવા જઈ રહી છે. આ માટે 'સિંગલ વિન્ડો' સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી છે. આવામાં જરૂરિયાતમંદો લોકો ઓનલાઈન જ પોતાની સમસ્યાઓનું સમાધાન ખોજી શકશે.
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે મંગળવારે પેન્શનરો અને નિવૃત્ત સિનીયર સિટીઝન્સની મદદ માટે 'સિંગલ વિન્ડો' પોર્ટલ સ્થાપિત કરવાની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે આ પોર્ટલ ન માત્ર દેશભરનાં પેન્શનર્સને તેમના સહયોગી સાથે સતત સંપર્ક બનાવી રાખવામાં મદદ કરશે પરંતુ ઝડપી પ્રતિક્રિયા માટે તેમના મતો અને ફરિયાદો વગેરે પણ પ્રાપ્ત થઇ શકશે.
ડિજિટલ રૂપથી મળશે સમસ્યાઓનું સમાધાન
પેન્શન નિયમોના વિશ્લેષણ અને વ્યવસ્થીકરણ માટે સ્વૈચ્છિક એન્જંસીઓની સ્થાયી સમિતિની 32મી બેઠકને સંબોધિત કરતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે સામાન્ય માણસનાં જીવનને સરળ બનાવવાના હેતુથી વર્ષ 2014 પછીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં પેન્શન નિયમોમાં ક્રાંતિકારી બદલાવો કરવામાં આવ્યા છે. રાજ્યમંત્રી સિંહે કહ્યું કે કોમન પેન્શન પોર્ટલનો હેતુ પેન્શનર્સની બધી સમસ્યાઓને એક જ સ્થાન પર ડિજિટલ મંત્રના માધ્યમથી સમાધાન સુનિશ્ચિત કરવાનું છે એટલે તેમને અલગ અલગ વિભાગોનાં ધક્કા ન ખાવા પડે.
ઓનલાઈન જ સમસ્યાઓનું સમાધાન મળી જશે
જીતેન્દ્ર સિંહે કહ્યું કે પેન્શનની બાકી રકમની પ્રક્રિયા, મંજૂરી કે વિતરણ માટે બધા મંત્રાલય આ ડિજિટલ પ્રાકારે જોડાયેલા રહ્યા છે અને પછી સમાધાન માટે સંબંધિત મંત્રાલય કે વિભાગ પાસે ફરિયાદો મોકલી શકાય છે. તેમણે કહ્યું કે પેન્શનર્સ, સાથે જ નોડલ અધિકારી, સિસ્ટમમાં છેલ્લે સુધી ઓનલાઈન ફરિયાદની સ્થિતિ જોઈ શકે છે.