સરકાર દ્વારા લોકડાઉન હળવુ કરવામાં આવતા અમદાવાદમાં જનજીવન સામાન્ય બન્યું છે. થંભી ગયેલા રસ્તા પર ફરીથી વાહનોની અવર-જવર વધી છે. સવારથી લોકો આવશ્યક ચીજ-વસ્તુઓ માટે ઘરની બહાર નિકળ્યા હતા. કન્ટેઈનમેંટ ઝોન અને નોન કન્ટેઈનમેંટ ઝોનમાં એક સમાન માહોલ જોવા મળ્યો છે..