હાંસીપોરા વિસ્તારમાં શુક્રવારે ભારતીય સેનાએ સમજદારીથી એક આતંકવાદીને સરેન્ડર કરાવ્યુ. તેનો વીડિયો વાયરલ થતા લોકોએ સેના મન મુકી વખાણ કર્યાછે.
એક આતંકવાદી માર્યો ગયો
સેનાની ભાવુક અપીલથી આતંકીએ સરેન્ડર કર્યું
આતંકી શોપિયા જિલ્લાનો રહેવાસી
દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લામાં હાંસીપોરા વિસ્તારમાં શુક્રવારે ભારતીય સેનાએ સમજદારીથી એક આતંકવાદીને સરેન્ડર કરાવ્યુ. હકિકતમાં હાંજીપોરા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોની વચ્ચે એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો હતો. આ દરમિયાન બીજા આતંકીને સેનાએ સરેન્ડર કરવામ કહ્યું હતુ. સેનાએ આતંકીને પરિવારજનો અને મિત્રોનો હવાલો આપ્યો. જે બાદ આતંકવાદી એકે 56 રાઈફલની સાથે સરેન્ડર થયો.
A precious life from #Shopian was saved today, when a misguided youth who had recently joined LeT, surrendered during Op Hanjipora#IndianArmy remains steadfast in its commitment to accept surrenders of local youth, who want to shun violence and return to the national mainstream. https://t.co/wIGFFD6mlppic.twitter.com/o33v9O0Bw7
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) June 25, 2021
પોલીસે જણાવ્યું કે આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાના બીજા આતંકવાદીએ એન્કાઉન્ટર દરમિયાન એકે 56 રાઈફલની સાથે સરેન્ડર કર્યુ છે. ઉલ્લેખનીય છે કે લશ્કર એ તૈયબાના આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ પોલીસ અને સેનાની એક સંયુક્ત ટીમે આ વિસ્તારમાં નાકા બંધી શરુ કરી.
એક આતંકવાદી માર્યો ગયો
આતંકવાદીઓની હાજરીને લઈને એક વિશેષ જાણકારીન આધાર પર સર્ચ અભિયાન શરુ કરવામાં આવ્યું હતુ. સુરક્ષા દળો જેવા સ્થળ પર પહોંચ્યા કે ત્યાં છુપાયેલા આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરુ કર્યો. જે બાદ અથડામણ શરુ થઈ ગઈ. આ દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો.
સેનાની ભાવુક અપીલથી આતંકીએ સરેન્ડર કર્યું
આ બાદ સેનાએ બીજા આતંકવાદીને સરેન્ડર કરવાની અપીલ કરી. સેનાએ કહ્યું કે તે પોતાના પરિવારજનો વિશે વિચાર કરે. પોતાના સાથીના પરિણામ વિશે વિચારે, તેના ગયા બાદ પરિવારનું શું થશે. આ બધું વિચારી જોવે. સેનાની આવી ભાવુક અપીલથી આતંકીએ સરેન્ડર કર્યું.
આતંકી શોપિયા જિલ્લાનો રહેવાસી
અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીની ઓળખ શોપિયા જિલ્લાના નિવાસી સાહિલ રમજાન ડાર તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું કે અંતિમ સુચના મળવા સુધી અભિયાન જારી રહ્યુ હતુ. સ્થિતિને જોયા વધારાની ટીમોને સ્થળ પર બોલાવવામાં આવી છે. આતંકી આ ગામમાં હુમલાના ઈરાદાથી છુપાયા હતા. આતંકવાદીઓને પ્લાન હુમલા કરવાનો હતો. પરંતુ આની જાણ સુરક્ષાદળોના લોકોને થઈ જિલ્લા બાદ ઓપરેશન શરુ કરવામાં આવ્યું અને અત્યાર સુધીમાં એક આતંકીને ઠાર કરાયો છે.