મહારાષ્ટ્રમાં એક મહીના સુધી ચાલેલા રાજકીય નાટક બાદ અંતે રાજ્યમાં સરકાર બની શકી. ભારતીય જનતા પાર્ટી સાથે મતભેદ બાદ એનસીપી અને કોંગ્રેસના સમર્થનથી શિવસેનાએ સરકાર બનાવી લીધી છે, પરંતુ હવે પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીએ રાજ્યમાં નવા સમીકરણ બનવાના સંકેત આપ્યા છે.
મહારાષ્ટ્રના પૂર્વ સીએમ મનોહર જોશીએ આપ્યું મોટુ નિવેદન
હંમેશા માટે અલગ નથી થઇ શિવસેના-ભાજપ
વરિષ્ઠ નેતાના નિવેદનને પગલે અટકળો તેજ
જોશીએ મંગળવારે કહ્યું કે તેઓની પાર્ટી અને બીજેપી નજીકના ભવિષ્યમાં ફરી સાથે આવી શકે છે. પાર્ટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આ મુદ્દા પર યોગ્ય સમયે નિર્ણય લેશે. તેમનું આ નિવેદન એ પ્રકારે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કે, મંગળવારે જ નાગરિકતા સંશોધન બિલ પર શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ગતિરોધ જોવા મળ્યો હતો. જોકે, બાદમાં શિવસેનાએ એમ કહેતા પલટી મારી હતી કે, તમામ વસ્તુઓ સ્પષ્ટ થાય ત્યાં સુધી નાગરિકતા બિલનું સમર્થન નહીં કરે.
વરિષ્ઠ શિવસેના નેતાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે. જ્યારે બંને પાર્ટી વચ્ચે હાલમાં જ મુખ્યમંત્રી પદને લઇને સહમતિ બની શકવાને કારણે અલગ થઇ ગયા હતા. ત્યારબાદ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી.
નોંધનીય છે કે, પહેલા શિવસેનાએ બિલના પક્ષમાં વોટ આપ્યો હતો. બાદમાં પાર્ટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તમામ વસ્તુઓ સ્પષ્ટ થઇ જવા સુધી કોઇ નિર્ણય નહીં કરે. તેના પર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સવાલ કર્યો કે, શું શિવસેના કોંગ્રેસના દબાણમાં આવી ગઇ છે.