મહારાષ્ટ્ર / શિવસેનાએ ભાજપને આડે હાથે લીધું પરંતુ PM મોદી અને અમિત શાહ માટે સારી સારી વાત કહી

Shivsena condemns BJP but takes a soft stand for modi shah duo

શિવસેનાએ શનિવારે મહારાષ્ટ્ર ભાજપ પર વિધાન પરિષદની ચૂંટણીમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ચૂંટણીમાં અવરોધ ઊભો કરવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ભાજપ પર હુમલો કરનારની સાથે સાથે શિવસેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નરમ રહી છે. શિવસેનાએ શનિવારે પોતાના મુખપત્ર 'સામના' માં લખ્યું છે કે વિપક્ષે ઉદ્ધવ ઠાકરેની ચૂંટણીમાં ઘણાં અવરોધો ઊભાં કર્યા, પરંતુ તેઓ બિનહરીફ ચૂંટાયા છે. જેઓ રાજકીય દાવપેચનો ઉપયોગ કરવાની કોશિશ કરી રહ્યાં હતાં તેમને ધૂળ ચાટવાનો વારો આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ