ED છેલ્લા 8 કલાકથી તેમના ઘરે તપાસ કરી રહી હતી. ઈડીએ આ દરોડા પાત્રા ચાલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં પાડ્યા હતા
શિવસેના નેતા સંજય રાઉતની EDએ કરી અટકાયત
પાત્રા ચાલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં પુછપરછ બાદ અટકાયત
EDએ સંજય રાઉત પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો
શિવસેના નેતા સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ED છેલ્લા 8 કલાકથી તેમના ઘરે તપાસ કરી રહી હતી. ઈડીએ આ દરોડા પાત્રા ચાલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં પાડ્યા હતા. રવિવારે EDની ટીમ સવારે 7 વાગે ભાંડુપમાં રાઉતના ઘરે પહોંચી હતી. EDની ટીમના આગમન બાદ રાઉતના વકીલો પણ તેમના ઘરે પહોંચ્યા હતા. બહાર ઘણા સમર્થકો પણ ભેગા થયા હતા.
EDએ સંજય રાઉત પર તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો હતો. માહિતી અનુસાર, જ્યારે તેમને તપાસ એજન્સીએ તેમની સાથે ED ઑફિસમાં જવા માટે કહ્યું, ત્યારે તેમણે કહ્યું કે તેઓ વર્તમાન સાંસદ છે. તેમણે 7 ઓગસ્ટ સુધીનો સમય માંગ્યો હતો. પરંતુ હવે ED તેમને કસ્ટડીમાં લઈને પોતાની સાથે લઈ જઈ શકે છે.
ED officials take Shiv Sena leader Sanjay Raut along with them after detaining him post conducting raids at his residential premises in Mumbai. Party workers present at the spot pic.twitter.com/6Jubs44s4k
આ મામલો મુંબઈના ગોરેગાવ વિસ્તારના પાત્રા ચોલ સાથે જોડાયેલ છે. તે મહારાષ્ટ્ર હાઉસિંગ એન્ડ એરિયા ડેવેલપમેટ અથોરિટીનો ભાગ છે. તેમાં લગભગ 1034 કરોડનો ગોટાળો થયો હોવાનો આરોપ છે. આ કેસમાં સંજય રાઉતની નવ કરોડ રૂપિયા અને તેમના પત્ની વર્ષાની બે કરોડની સંપત્તિ જપ્ત થઈ ચુકી છે. આરોપ છે કે, રીયલ એસ્ટેટ બિઝનેસમેન પ્રવિણ રાઉતે પાત્રા ચોલમાં રહેલા લોકો સાથે છેતરપીંડી કરી.
#WATCH | Mumbai: Shiv Sena leader Sanjay Raut being taken by ED officials along with them after he was detained in connection with Patra Chawl land scam case from his residence pic.twitter.com/VtjjuQJhxM
એક કંસ્ટ્રક્શન કંપનીને આ ભૂખંડ પર 3000 ફ્લેટ બનાવાનું કામ મળ્યું હતું. તેમાં 672 ફ્લેટ પહેલાથી અહીં રહેતા લોકોને આપવાના હતા. બાકીના એમએચએડીએ અને તે કંપનીને આપવાના હતા. પણ વર્ષ 2011માં આ વિશાળ ભૂખંડમાંથી અમુક ભાગ બીજા બિલ્ડરોને વેચી દેવામા આવ્યા હતા.