કંગના રનૌત સુશાંત સિંહ રાજપૂત કેસમાં ખુલ્લીને બોલી છે. તે મુંબઈના ડ્રગ્સ કનેક્શનથી માંડી નેપોટિઝમ સહિતની તમામ બાબતે મન મુકીને બોલી છે. જેને પગલે કંગના અને સંજય રાઉત સામ સામે શબ્દ યુદ્ધ પણ જામ્યુ છે. ત્યારે કંગનાને મુંબઈન ન આવવાની સંજય રાઉતની ટ્વીટ પર કંગનાએ મુંબઈની પાકિસ્તાન સાથે સરખાવ્યું હતું. જેને પગલે શિવસેનાએ કંગના સામે ફરિયાદ નોંધાવી છે.
શિવસેનાએ કંગના સામે રાજદ્રોહનો કેસ નોંધાવી કરી માગ
શિવસેનાએ કંગનાના PoK વાળા નિવેદન મુદ્દે ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે કંગનાએ મુંબઇની PoK સાથે સરખામણી કરી હતી. થાણેના શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. શિવસેનાએ કંગના સામે રાજદ્રોહનો કેસ નોંધાવવાની માંગ કરી છે.
કંગનાએ શિવસેનાના નેતા સંજય રાઉતે કરેલા ટ્વિટનો જવાબ આપ્યો હતો, જેમાં સંજય રાઉતે કંગના પર મુંબઈ પોલીસનું અપમાન કર્યું હોવાનો આરોપ લગાવીને મુંબઈ પાછા ન ફરવાનો આરોપ લગાવ્યો હતો. આના પર કંગના રાનૌતે ટ્વિટ કરીને લખ્યું - શિવસેનાના નેતા સંજય રાઉત મને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે અને મુંબઈ પાછા ન આવવાની સલાહ આપી રહ્યા છે. મુંબઈની ગલીઓમાં આઝાદી બાદ હવે આ ખુલ્લો ખતરો છે. મુંબઈ પીઓકે કેમ લાગે છે? આ સાથે જ કંગનાના આ નિવેદનથી બોલિવૂડ હસ્તીઓ પણ ગુસ્સે થઈ ગઈ છે. ઘણાએ મુંબઈ વિશે ટ્વીટ કરીને કંગનાને જવાબ આપ્યો છે.
કંગનાએ ટ્વિટમાં કહ્યું હતું કે, શિવસેના લીડર સંજય રાઉતે મને ખુલ્લી ધમકી આપી છે અને મને કહ્યું છે કે, મુંબઈ પરત ન આવ, મુંબઈની શેરીઓમાં આઝાદી ગ્રૈફિટી અને ખુલી ધમકી, મુંબઈ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર જેવી ફીલિંગ શા માટે આપી રહ્યું છે?’ ઉલ્લેખનીય છે કે અનેક બોલીવુડ સ્ટાર્સે કંગનાના આ નિવેદનને વખોડ્યુ હતુ.