મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય કટોકટીએ હવે હિંસાનું સ્વરુપ ધારણ કર્યાં છે. શિવસૈનિકો હવે હિંસા પર ઉતરી આવ્યાં છે.
મુંબઈમાં શિવસૈનિકો હવે ઉતર્યાં હિંસા પર
બાગી ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં તોડફોડ
કોર્પોરેટર વિશાલ ધનાવડેએ કહ્યું- આ તો હજુ શરુઆત છે
હજુ તો મોટા હુમલા થશે
શિવસેનાના કાર્યકરોએ શનિવારે શિવસેનાના બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં તોડફોડ કરી હતી. શિવસેના કોર્પોરેટર વિશાલ ધનાવડેની આગેવાનીમાં કાર્યકરોનું એક ટોળું ભૈરવનાથ સુગર વર્કસની ઓફિસમાં ઘૂસી ગયું હતું અને લાકડીઓ તથા બીજા હથિયારો લઈને મોટાપાયે તોડફોડ કરી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યાં હતા જેમાં શિવસૈનિકો ઓફિસમાં તોડફોડ કરી રહેલા જણાતા હતા.
આતો હજુ શરુઆત, આગળ જુઓ શું થાય છે-કોર્પોરેટર
શિવસેના કોર્પોરેટર વિશાલ ધનાવડેએ કહ્યું કે સાવંતની ઓફિસમાં તોડફોડ એ માત્ર શરૂઆત છે અને આગામી દિવસોમાં દરેક દેશદ્રોહી (બળવાખોર ધારાસભ્ય) ની ઓફિસોની આવી હાલત કરી નાખવામાં આવશે. સેનાના મોટાભાગના ધારાસભ્યોએ તેમની વફાદારી એકનાથ શિંદે તરફ બદલી દીધી છે અને ગુવાહાટીમાં પડાવ કરી રહ્યા છે. પાર્ટીમાં આ પગપેસારો થવાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.
કુર્લામાં બાગી ધારાસભ્ય મંગેશ કુડાલકરની ઓફિસમાં તોડફોડ
કુર્લા વિસ્તારમાં આવેલી બળવાખોર ધારાસભ્ય મંગેશ કુડાલકરની ઓફિસમાં પણ શિવસૈનિકોએ તોડફોડ કરી હતી. આ ઘટનાનો પણ એક વીડિયો સામે આવ્યો હતો.
શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક થઈ
સીએમ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની એક બેઠક બોલાવી હતી અને તેમાં ચાર પ્રસ્તાવો પાસ કરવામાં આવ્યાં હતા.
બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા શિવસેનાના દિગ્ગજ નેતા સંજય રાઉતે કહ્યું કે તમામ નિર્ણય ઉદ્ધવ ઠાકરે લેશે. તેમણે કહ્યું પોતાની સ્વકેન્દ્રીત રાજનીતિ માટે બાળાસાહેબ ઠાકરેનું નામ વટાવી ખાનાર લોકોની સામે અમે કાનૂની પગલાં ભરીશું. સંજય રાઉતે એવું પણ કહ્યું કે પાર્ટીને દગો આપનાર નેતાઓની સામે આકરા પગલાં ભરવામાં આવશે અને પાર્ટી છોડી જનાર લોકોની સામે પગલાં ભરવાનો ઉદ્ધવ ઠાકરેને અધિકાર અપાયો છે.
બેઠકમાં પાસ કરાયા ચાર પ્રસ્તાવ
શિવસેનાની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ચાર ઠરાવો પસાર કરવામાં આવ્યા છે. જેમાંથી એક પ્રસ્તાવ હેઠળ શિવસેના ચૂંટણી પંચ પાસે જશે. શિવસેના પંચને અપીલ કરશે કે બાળાસાહેબના નામનો ઉપયોગ બીજું કોઈ ન કરી શકે. અન્ય પ્રસ્તાવોમાં ઉદ્ધવ દ્વારા બળવાખોરો પર કાર્યવાહી કરવામાં આવશે. હિંદુ ધર્મ અને મરાઠી અસ્મિતાનો ઠરાવ પસાર થયો. છેલ્લા પ્રસ્તાવમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
કયા ચાર પ્રસ્તાવ
(1) શિવસેના ચૂંટણી પંચમાં જશે
(2) બળવાખોરોની સામે કાર્યવાહી કરવામાં આવશે
(3) હિંદુ ધર્મ અને મરાઠી અસ્મિતાનો ઠરાવ
(4) ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં વિશ્વાસ કુર્લામાં બાગી ધારાસભ્ય મંગેશ કુડાલકરની ઓફિસમાં તોડફોડ
કુર્લા વિસ્તારમાં આવેલી બળવાખોર ધારાસભ્ય મંગેશ કુડાલકરની ઓફિસમાં પણ શિવસૈનિકોએ તોડફોડ કરી હતી. આ ઘટનાનો પણ એક વીડિયો સામે આવ્યો હતો.