ઓકલેન્ડ વનડે પછી ટીમ ઈન્ડિયા અહીં બે ફેરફાર સાથે ઉતરી હતી પણ આજની મેચમાં સંજુ સેમસનને જગ્યા મળી નહતી. આ વાતને લઈને શિખર ધવને જવાબ આપ્યો.
ODI સીરિઝની બીજી મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી
આજની મેચમાં સંજુ સેમસનને જગ્યા મળી નહતી
શિખર ધવને જવાબ આપ્યો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સીરિઝની બીજી મેચ આજે રમાવવાની હતી પણ આ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ત્રણ મેચોની સીરિઝની છેલ્લી મેચ હવે ક્રાઈસ્ટચર્ચમાં 30 નવેમ્બરે રમાવાની છે અને હાલ ન્યુઝીલેન્ડની ટીમ 1-0 થી આગળ છે.આજે હેમિલ્ટન વનડેમાં વરસાદ પહેલા માત્ર 12.5 ઓવર જ રમાઈ શકી હતી એવામાં જણાવી દઈએ કે ઓકલેન્ડ વનડે પછી ટીમ ઈન્ડિયા અહીં બે ફેરફાર સાથે ઉતરી હતી અને આજની મેચમાં પણ સંજુ સેમસનને જગ્યા મળી નહતી. જો કે ટીમમાં દીપક હુડાને ટીમમાં જગ્યા મળી હતી અને આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો.
The 2⃣nd #NZvIND ODI is called off due to persistent rain 🌧️
We will see you in Christchurch for the third & final ODI of the series.
જણાવી દઈએ કે મેચ રદ થયા પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન શિખર ધવને સંજુ સેમસનને લઈને જણાવ્યું હતું કે શા માટે સંજુ સેમસનને આ મેચમાં જગ્યા નહતી મળી. જણાવી દઈએ કે પહેલી મેચમાં સેમસને 38 બોલમાં 36 રન બનાવ્યા હતા અને શ્રેયસ અય્યર સાથે 94 રનની ઉપયોગી ભાગીદારી કરી હતી એમ છતાં હેમિલ્ટનની બીજી વનડેમાં તેને સ્થાન ન મળ્યું. આ માટે સોશિયલ મીડિયા પર એક સવાલ પૂછવામાં આવી રહ્યો હતો કે સંજુને વારંવાર કેમ નાકરી કાઢવામાં આવે છે?
શિખર ધવને જવાબ આપ્યો
આ દરેક સવાલનો જવાબ આપતા શિખર ધવને જણાવ્યું હતું કે કે 'ટીમમાં છઠ્ઠા બોલરનો વિકલ્પ લાવવા માટે સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવો પડ્યો હતો.' આ મેચમાં તેમના સ્થાને દીપક હુડ્ડાને સ્થાન મળ્યું હતું પણ મેચ પૂરી નહતી થઇ એટલા માટે આ નિર્ણયપર કોઈ સવાલ ઉઠાવી શકે નહીં પણ સંજુ સેમસનને વારંવાર નજરઅંદાજ કર્યા બાદ સોશિયલ મીડિયા પર ફરી એકવાર ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ શંકાના દાયરામાં આવ્યું.
શુભમન ગિલ અને ઉમરાન મલિકની પ્રશંસા કરી
આ સિવાય શિખર ધવને મેચ રદ થયા પછી ઇંટરવ્યૂમાં શુભમન ગિલ અને ઉમરાન મલિકની પણ પ્રશંસા કરતાં કહ્યું હતું કે શુભમન જે રીતે બેટિંગ કરી રહ્યો છે તેનાથી આખી ટીમમાં ઉત્સાહ ભરાઈ રહ્યો છે અને હાલ યુવાનો માટે આ એક મોટી તક છે. જે રીતે શુભમનની બેટિંગ અને ઉમરાન મલિકની બોલિંગ જોવા મળી છે, ભારતીય ક્રિકેટમાં ટ્રાન્જીશન સારું છે. એક ટીમ તરીકે અમારું ધ્યાન હવે ક્રાઈસ્ટચર્ચ ODI પર રહેશે અને ત્યાં અમે શાનદાર પ્રદર્શન કરીને જીતની આશા સાથે મેદાનમાં ઉતરીશું.
ઓકલેન્ડ રમાયેલ ODIની પહેલી મેચમાં ભારતને 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. એ મેચમાં 300થી ઉપરનો સ્કોર કર્યા બાદ પણ ટીમ ઈન્ડિયાને કારમી હાર મળી હતી. એ મેચમાં બેટિંગમાં શિખર ધવન, શુભમન ગિલ અને શ્રેયસ અય્યરે શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમી હતી પણ ઉમરાન મલિક સિવાય બોલિંગમાં કોઈ ખાસ છાપ છોડી શક્યું નહતું. આવી સ્થિતિમાં ત્રીજી મેચમાં સંજુ સેમસનને સ્થાન મળશે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.