જનતા કર્ફ્યું અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે કોરોના વાયરને લઇને સાચી સૂચના જ શેર કરો અને બિન જરૂરી ભયને ટાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પછી એક ટવિટ કરતા કહ્યું કે લોકો કોરોના વાયરસને લઇને સાચી સૂચના માહિતી શેર કરો અને ખોટી ગભરાહટ ફેલાવાનું ટાળો.
જનતા કર્ફ્યું પહેલા પીએમ મોદીની લોકોને અપીલ
લોકોને સાચી સૂચના શેર કરવા પીએમ મોદીએ કરી અપીલ
વાયરસને લઇને ખોટી ગભરાહટ ફેલાવાનું ટાળો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે લોકોને સાચી માહિતી આપવા માટે ભારત સરકારે એક વ્હોટ્સએપ નંબર જારી કર્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આ નંબર દ્વારા લોકો સાચી અને ભારત સરકાર દ્વારા પ્રમાણિત જાણકારી મેળવી શકશે.
PM મોદીએ કહ્યું કે +919013151515 નંબર પર સંદશે કરી આ સેવાસાથે જોડાઇ શકો છો. પીએમ મોદીએ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટવિટરની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ કહ્યું કે ટવિટરે Covid-19 નામની એક વિશેષ પેજ લોન્ચ કર્યું છે.
જેના પર કોરોના વાયરને લઇને પ્રમાણિત સૂચના મેળવી શકાય છે. પીએમ મોદીએ ગૂગલની પ્રશંસા કરતાં કહ્યું કે આ ટેકનોલોજી કંપની પણ પોતાની ટેકનીકના ઉપયોગથી લોકોમાં જાગરૂકતા લાવી શકી છે.