2 ઓક્ટોબર 2022ના રોજ મહાસપ્તમીના દિવસે મા કાલરાત્રીની પૂજા કરવામાં આવશે. જાણો મા કાલરાત્રીની પૂજા વિધિ, પ્રિય ભોગ અને રંગ.
સાતમાં દિવસે કરો માતા કાલરાત્રિની પૂજા
શત્રૂઓથી મળશે મુક્તિ
જાણો પુજા વિધિ, મંત્ર
શારદીય નવરાત્રીનો સાતમો દિવસ મા કાલરાત્રીને સમર્પિત છે. દેવીનું સાતમું સ્વરૂપ સંકટોમાંથી ઉગારનાર માનવામાં આવે છે. આ વર્ષે મહાસપ્તમીની તારીખ 2 ઓક્ટોબર 2022 છે. રાત્રે દેવી કાલરાત્રિની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. શુંભ અને નિશુંભ સાથે રક્તબીજનો નાશ કરવા માટે દેવીએ કાલરાત્રીનું રૂપ ધારણ કર્યું. ચાલો જાણીએ મા કાલરાત્રીની પૂજા વિધિ, પ્રિય ભોગ, રંગ અને મંત્ર.
મા કાલરાત્રીનું સ્વરૂપ
દેવી કાલરાત્રીનો રંગ કૃષ્ણ વર્ણ છે. તેથી તેનું નામ કાલરાત્રી છે. ગદર્ભ પર બેઠેલી દેવી કાલરાત્રીને ત્રણ આંખો છે. માતાની ચાર ભુજાઓમાં ખડગ, લોખંડના શસ્ત્ર શોભે છે. ગળામાં માળા વીજળીની જેમ ચમકે છે. તેનું એક નામ શુભંકરી પણ છે. મા કાલરાત્રિની ઉપાસનાને ભૂત-પ્રેત કે અનિષ્ટ શક્તિ, શત્રુઓ અને વિરોધીઓના ભયને કાબૂમાં રાખવા માટે અચૂક માનવામાં આવે છે.
મા કાલરાત્રી પૂજા વિધિ
મા કાલરાત્રીની પૂજા બે રીતે કરવામાં આવે છે. એક તંત્ર-મંત્રના ઉપાસકો દ્વારા અને બીજું શાસ્ત્રીય ઉપાસના દ્વારા. ગૃહસ્થ લોકોને માતાની શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે માતાની પૂજા કરવી જોઈએ. દેવીની પૂજામાં વાદળી રંગનો ઉપયોગ કરો. માતાના આ સ્વરૂપને ગોળનો ભોગ ખૂબ જ પ્રિય છે.
રાત રાણી અથવા હજારીગલ ફૂલ અર્પણ કરીને ઘીનો દીવો કરવો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો. પૂજામાં પવિત્રતાનું વિશેષ ધ્યાન રાખો. શત્રુઓથી મુક્તિ મેળવવા માટે રાત્રે સ્નાન કરીને લાલ વસ્ત્રો પહેરો અને 108 વાર નર્વાણ મંત્રનો જાપ કરો - "ઓમ ફટ્ શત્રૂન સાધય ઘાતય ઓમ".
એવું માનવામાં આવે છે કે આનાથી શુભ ફળ મળશે. હવે દેવીની આરતી કરી ગોળનો પ્રસાદ બધામાં વહેંચો. ધ્યાન રાખો કે કોઈ ખોટા હેતુથી મા કાલરાત્રિની પૂજા ન કરવું જોઈએ નહીં તો અશુભ પરિણામ મળે છે.