કાયદા જગતને એક મોટી ખોટ પડી છે. દેશના જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી શાંતિ ભૂષણનું 97 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે.
દેશના જાણીતા વકીલ દુનિયા છોડી ચાલ્યાં
શાંતિ ભૂષણનું 97 વર્ષની ઉંમરમાં અવસાન
મોરારજી દેસાઈ સરકારમાં દેશના કાયદા મંત્રી રહી ચૂક્યા છે
જાણીતા વકીલ પ્રશાંત ભૂષણના પિતા
પીઢ વકીલ અને પૂર્વ કાયદા પ્રધાન શાંતિ ભૂષણનું મંગળવારે (31 જાન્યુઆરી) નિધન થયું હતું. તેમણે આજે સાંજે 7 વાગ્યે દિલ્હી સ્થિત પોતાના ઘરે અંતિમ શ્વાસ લીધા હતા. શાંતિ ભૂષણ 97 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેમણે મોરારજી દેસાઈ મંત્રાલયમાં 1977થી 1979 સુધી ભારતના કાયદા મંત્રી તરીકે સેવા આપી હતી.
PM Narendra Modi expresses condolences over the demise of Former Law Minister and Senior Advocate Shanti Bhushan.
"He will be remembered for his contribution to the legal field and passion towards speaking for the underprivileged. Pained by his passing away," tweets PM Modi pic.twitter.com/qQFVKSkx07
પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો
શાંતિ ભૂષણના અવસાનને પગલે પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને શોકની લાગણી દર્શાવી હતી.
1974માં ઈન્દીરા ગાંધી સામે લડનાર રાજનારાયણનો કેસ લડ્યાં
શાંતિ ભૂષણે અલ્હાબાદ હાઈકોર્ટમાં એક પ્રખ્યાત કેસમાં રાજનારાયણનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેના પરિણામે 1974માં ઈન્દિરા ગાંધીને વડા પ્રધાન પદેથી દૂર કરવામાં આવ્યા હતા. વાસ્તવમાં ઈન્દિરા ગાંધી 1971ની સામાન્ય ચૂંટણીમાં રાયબરેલી સીટથી ચૂંટણી જીત્યા અને પ્રધાનમંત્રી બન્યા. જનસંઘના તેમના હરીફ રાજનારાયણે અલ્હાબાદ હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે તેઓ ચૂંટણીમાં ગેરરીતિ દ્વારા તેમની બેઠક જીતી રહ્યા છે. તેમણે ઇન્દિરા ગાંધી પર લાંચ લેવાનો અને ચૂંટણી જીતવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. શાંતિ ભૂષણ રાજનારાયણ માટે કેસ લડ્યા અને જીત્યા.
Former Union law minister and eminent jurist Shanti Bhushan has died at age 97 following brief illness, says source close to his family
શાંતિ ભૂષણની રાજકીય સફર
શાંતિ ભૂષણ કોંગ્રેસ (ઓ) અને બાદમાં જનતા પાર્ટીના સભ્ય હતા. રાજકીય કારકિર્દી દરમિયાન તેઓ રાજ્યસભાના સાંસદ પણ રહ્યા હતા. તેઓ 1980માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને 1986માં ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.
જાહેર હિતના ઘણા મુદ્દાઓ ઉઠાવ્યા
શાંતિ ભૂષણે જાહેર હિતના અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને ભ્રષ્ટાચાર સામે સ્પષ્ટ વક્તા રહ્યા છે. 1980માં, તેમણે એનજીઓ સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશનની સ્થાપના કરી હતી, જેણે સુપ્રીમ કોર્ટમાં અનેક મહત્વપૂર્ણ પીઆઈએલ દાખલ કરી છે.
આમ આદમી પાર્ટીના સંસ્થાપક સભ્ય
2018માં શાંતિ ભૂષણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને 'માસ્ટર ઓફ રોસ્ટર' સિસ્ટમમાં ફેરફારની માંગ કરી હતી. પ્રખ્યાત વકીલ અને કાર્યકર્તા પ્રશાંત ભૂષણ તેમના પુત્ર છે. શાંતિ ભૂષણ તેમના પુત્ર પ્રશાંત ભૂષણ સાથે 2012માં આમ આદમી પાર્ટી (આપ)ના સંસ્થાપક સભ્યોમાંના એક હતા. બાદમાં તેમણે પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો.