હાલમાં શનિ અને સૂર્ય બંને મકર રાશિમાં વિરાજમાન છે. જો કુંડળીમાં આ ગ્રહોની સ્થિતિ બગડે છે તો વ્યક્તિના સંબંધો પર તેની ખરાબ અસર પડે છે.
સૂર્ય અને શનિ કરે છે સંબંધો પર અસર
બંને ગ્રહોની સ્થિતિ બગડતા બગડે છે સંબંધો
કરી લો શાંત કરવાના ખાસ ઉપાયો
સૂર્યને ગ્રહોમાં પિતાનું સ્થાન અપાયું છે. પિતાની સ્થિતિ સૂર્ય સાથે સરખાવાય છે. શનિ રોજગાર સંબંધી ગ્રહ છે. જ્યારે અન્ય તરફ સૂર્યનો પુત્ર પણ છે. પિતા અને પુત્રના સંબંધો માટે સૂર્ય અને શનિની પરસ્પરની સ્થિતિ જોવા મળે છે. આ બંને ગ્રહો હાલમાં મકર રાશિમાં એકસાથે વિરાજમાન છે. બંને ગ્રહોની સ્થિતિ બગડે તો વ્યક્તિના સંબંધોમાં અસર પડે છે.
શું હોય છે સૂર્ય અને શનિનો અશુભ પ્રભાવ
પિતા અને પુત્રમાં તાલમેલ ખરાબ હોય છે. ક્યારેક પિતા અને પુત્રમાં એક જીવિત રહે છે. પિતા સાથે પુત્રનો સંબંધ તૂટે છે અને ભાગલા પડે છે અથવા તો પુત્ર પિતાને છોડી દેતા હોય છે. ક્યારેક પિતા પુત્ર સાથે દુવ્યવહાર કરે તે પણ જોવા મળે છે. પિતા પોતાના પુત્રને જીવન અને સંપત્તિથી પણ દૂર કરી દેતા હોય છે.
જો પુત્રનો સંબંધ પિતાથી ખરાબ હોય તો
પિતા રોજ સવારે સૂર્યને જળ અર્પણ કરે તો લાભ થઈ શકે છે. આ સિવાય શનિવારે પીપળાના ઝાડની નીચે સરસિયાના તેલનો દીવો કરવો. પીપળાના ઝાડની 19 વાર પરિક્રમા કરવી, સંબંધોમાં કડવાશ છે તે દૂર થશે.
જો સૂર્ય શનિના કારણે કોઈ ઉંમરનુ સંકટ હોય
પિતા અને પુત્ર બંને રોજ નમઃશિવાયના મંત્રનો 108 વાર જાપ કરે. બંનેએ શનિવારે કાળા તલ અને ગોળનું દાન કરવું. બંનેએ શ્રાવણમાં શિવને રુદ્રાભિષેક કરવો જરૂરી છે.
જો પિતા પુત્ર સાથે દુવ્યવહાર કરે છે તો
પુત્રએ રોજ કાળા તલ પાણીમાં મિક્સ કરીને સૂર્ય દેવને જળ ચઢાવવું. પુત્રએ રવિવારે ઉપવાસ કરવો. આ સાથે મીઠું પણ આ દિવસે ન ખાવું. પુત્રએ કાળા રંગના કપડાનો શક્ય તેટલો ઉપયોગ રોજિંદા જીવનમાં કરવો.
જો પુત્ર પિતા સાથે દુવ્યવહાર કરે છે તો
પિતાએ રોજ સૂર્યને રોલી મિક્સ કરેલું જળ અર્પણ કરવું. રોજ સાંજે ભગવાન વિષ્ણને ફૂળ અર્પણ કરો. લાલ રંગના વસ્ત્રોનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરો તે હિતાવહ છે.