CDS જનરલ બિપિન રાવતનાં મૃત્યુનાં સમાચાર આવતાં જ દેશ ઊંડા શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પણ કેટલાક લોકોએ આ ઘટના બાદ તેની ઉજવણી કરવાનું શરમજનક કામ કર્યું હતું.
CDS જનરલ બિપિન રાવતનું નિધન
દેશભરમાં શોકનો માહોલ
સોશ્યલ મીડિયામાં કેટલાક દેશવિરોધી તત્વોની કોમેન્ટ
કોઈપણ વ્યક્તિનું જીવન કે મરણ એ માણસના હાથની વાત નથી. આ તો ઈશ્વરના હાથની વાત છે. પણ ઘણાં લોકો મર્યા પછી પણ અમર થઈ જાય છે.
CDS જનરલ બિપિન રાવતના દેહાંત બાદ લગભગ દેશના નાનામાં નાનાં બાળકથી વૃદ્ધો સુધી તમામ લોકોને એક ઝટકો પહોંચ્યો છે, દુઃખ થયું છે. પણ એ દરમિયાન કેટલાક લોકો આ ઘટનામાં પણ રાજકારણ કરવાની માનસિકતામાંથી બહાર નથી આવી શક્યા એ દુઃખની બાબત છે.
સેનાના પૂર્વ અધિકારીએ કરી મોળી વાત
જે સમયે દેશના લોકો બિપિન રાવત અને તેમના સાથીઓની સલામતી માટે દુઆ કરી રહ્યા હતા સતત તેમના ગામ અને પ્રદેશમાંથી પ્રાર્થનાઓ ચાલી રહી હતી એ સમયે કોઈ અલ્લાહ ને તો કોઈ વાહેગુરુને તેમનો જીવ બચાવવા માટે જ અરજ કરી રહ્યા હતા. એ સમયે એક સેનાના જ પૂર્વ અધિકારી આ ઘટનાને કર્મોનું ફળ ગણાવી રહ્યા હતા.
CDS જનરલ બિપિન રાવતના નિધની અધિકૃત જાહેરાત લગભગ છ વાગે થઈ હતી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે તેમના નિધનની પુષ્ટિ કરી હતી. લગભગ 12 વાગ્યે બપોરે એમનું હેલિકોપ્ટર દુર્ઘટના ગ્રસ્ત બન્યું હતું અને તેમની સાથે પત્ની મધુલિકા પણ હાજર હતા તેઓ બંને પોતાના જીવ ગુમાવી બેઠા હતા.
કેટલાક લોકોએ લાફ રીએક્ટ કર્યું
પણ આ ઘટના બાદ તેના સમાચારો દર્શાવતી પોસ્ટ પર કેટલાક લોકોએ હસવાના ઇમોજી કોમેન્ટ કર્યા હતા. કેટલાક લોકોએ લાફ રીએક્ટ કર્યું હતું.
આ કયા લોકો છે જેઓને દેશનાં જાંબાઝ અને ઈમાનદાર સૈન્ય અધિકારીની શહીદી પર હસવું આવે છે? આવા દેશ વિરોધી કૃત્ય માટે સજા થવી જોઈએ કે નહીં? જનરલ રાવતના ત્યાગ અને બલિદાન સામે તો કોઈ વસ્તુ મોટી નથી. પણ એવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ કે જેથી આવી વાત કરનાર લોકોને પણ સજા થઈ શકે.
અંતે અકાઉન્ટ ડિલીટ
લોકોએ પણ તેમની ટ્વિટના જવાબમાં વળતો જવાબ આપવાનું શરૂ કર્યું હતું. જો કે બાદમાં બલજીત સિંઘને આ અકાઉન્ટ ડિલીટ કરવાની ફરજ પડી હતી.