ICC ટી20 વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ જે રીતે મેચ હારી અને ટૂર્નામેટથી બહાર થઇ, તેના પછી વારંવાર આઇપીએલની ભૂમિકા પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. શાહિદ અફરીદીએ ભારત ટીમની કપ્તાનીને લઇને વાત કરી જેમાં તેણે BCCIને ટારગેટ કર્યું.
ટીમ ઇન્ડિયાની હાર બાદ શાહિદ અફરીદીએ આપી પ્રતિક્રિયા
BCCIને ટીમ મુદે્ પૂછ્યાં સવાલો
વિરાટ અને રોહિતની કપ્તાનીની કરી આલોચના
આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022માં ભારતીય ક્રિકેટ ટીમ સેમીફાઇનલ સુધી પહોંચી અને ત્યાં ઇંગ્લેન્ડની સામે 10 વિકેટનાં નુક્સાન પર હારીને ટૂર્નામેન્ટની બહાર થઇ. આ મેચમાં જે રીતે ટીમ ઇન્ડિયા હારી છે તેના ઉપર અનેક પ્રશ્નો ઊઠી રહ્યાં છે. ભારત જ નહીં પરંતુ પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટરોએ પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCI થી સામે કેટલાક પ્રશ્નો પૂછ્યાં છે જેમાં પાકિસ્તાનનાં પૂર્વ કપ્તાન શાહિદ અફરીદીએ કહ્યું કે ભારતને સૌરવ ગાંગુલી અને મહેન્દ્રસિંહ ધોની પછી આવો કેપ્ટન નથી મળ્યો કે જેણે ફ્રંટથી લીડ કર્યું હોય.
અફરીદીએ ટીવી પર ભારતની હાર પર કરી વાત
તેમણે કહ્યું કે હવે આ બાબતોને નોટિસ કરવામાં આવશે. જો તમે જીતી જાઓ છો તો તમામ બાબતો બંધ બોક્સમાં બંધ થાય છે. ભારત હાર્યુ અને આ હાર પર દરેક પ્રતિક્રિયા આપી રહ્યું છે. પરંતુ તમે ધ્યાનથી જુઓ તો ટીમ ઇન્ડિયાને ગાંગુલી અને ધોની પછી સારાં લીડરની જરૂરત છે. એવા ખેલાડી જે ટીમને ફ્રંટથી લીડ કરે. ધોની બાદ વિરાટ કોહલીને અજમાવવામાં આવ્યું અને પછી રોહિત શર્માને પરંતુ બંને ખાસ રિઝલ્ટ ન લાવી શક્યાં.
એક લીડરનો રોલ મહત્વનો હોય છે - શાહિદ અફરીદી
તેમણે વધુમાં કહ્યું કે એક લીડરનો ટીમમાં રોલ મહત્વનો હોય છે. તેમનું પ્રદર્શન અતિ મહત્વનું થઇ જાય છે. આઇપીએલ 2 મહિનાથી વધુ સમય માટે રમવામાં આવે છે. ઘણાં ખેલાડીઓને આ રમવા માટે તક મળે છે છતાં ટીમ ઇન્ડિયા સ્કોવોડ તૈયાર કરી શકતી નથી. મને એવું લાગે છે કે હવે આ બાબત પર કામ કરવાની જરૂર છે. બીસીસીઆઇ એ વિચારવું જોઇએ કે ક્યાં ચૂક થાય છે. કારણ કે ક્રિકેટ પર ઘણાં પૈસા લગાવવામાં આવે છે.