શાહીન બાગ પ્રદર્શનને લઇને સુપ્રીમ કોર્ટે લીધો સૌથી મોટો નિર્ણય લીધો છે. સુપ્રીમે જણાવ્યું છે કે સાર્વજનિક જગ્યાઓ પર અનિશ્ચિતકાળ સુધી પ્રદર્શન ન કરી શકાય છે પછી તે શાહીન બાગ હોય કે બીજી કોઇ જગ્યા હોય.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે નક્કી કરવામાં આવેલી જગ્યાઓ પર જ પ્રદર્શન કરવામાં આવે. કોઇપણ જગ્યા પર આવન-જાવનને રોકી શકાય નહીં. વિરોધ અને આવન-જાવનના અધિકારમાં સંતુલન રાખવું જરૂરી છે.
દિલ્હીના શાહીનબાગ મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. જાહેર જગ્યાઓ પર આવન-જાવન પર પ્રતિબંધ ન લગાવી શકાય. બંધારણ વિરોધનો અધિકારી આપે છે, પરંતુ વિરોધના અધિકારીની સીમા હોય છે.
સુપ્રીમે જણાવ્યું કે જાહેર સ્થળે અનિશ્ચિતકાળસુધી ન ઘેરી શકાય, આ પ્રકારનો વિરોધ સ્વીકાર્ય નથી, તંત્ર કાર્યવાહી કરી શકે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2019માં કેન્દ્ર સરકારે સંસદમાં નાગરિકતા સંશોધન કાયદો પાસ કર્યો હતો. જેના હેઠળ પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવનારા ધાર્મિક અલ્પસંખ્યોકોને નાગરિકતા આપવાની જોગવાઇ કરવામાં આવી.
આ કાયદાને ધર્મના આધાર પર ભાગલા બતાવી દિલ્હીના શાહીન બાગથી લઇને દેશમાં કેટલીક જગ્યાઓમાં પ્રદર્શન કરવામાં આવ્યાં. શાહીન બાગમાં ડિસેમ્બરથી માર્ચ સુધી કોરોના લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યાં સુધી રોડ પર પ્રદર્શન ચાલ્યું હતું.
Public roads and places cannot be occupied indefinitely by protesters says Supreme Court on petitions seeking guidelines and other directions on the right to protest, in wake of Shaheen Bagh protest pic.twitter.com/TXlpEgiLul