T 20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન હારી ગયું હતુ. છેલ્લી ઓવરમાં હસન અલી દ્વારા કેચ છોડાયો તે બાદ મેથ્યુ વેડે મૅચની શકલ જ બદલી નાંખી હતી.
ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની કારમી હાર
હસન અલીએ મેથ્યુનો કેચ છોડ્યો હતો
શાહીદે જમાઇ શાહીનને સંભળાવી ખરી ખોટી
શાહીદ આફ્રીદી થયો નારાજ
કેચ છૂટી ગયો તેના માટે પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર શાહીદ આફ્રીદીએ હસન અલીને નહી પરંતુ પોતાના જમાઇ શાહીન આફ્રીદીને ખરી ખોટી સંભળાવી હતી.
કેચ છૂટ્યો તો શું...
સેમીફાઇનલને લઇને એક કાર્યક્રમમાં જ્યારે શાહિદ આફ્રીદીને સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું કે, એક જગ્યાએ તે શાહીનથી ખુશ નથી. જો હસન અલીથી કૅચ છૂટ્યો તો શું તમે 3 છગ્ગા ખાઇ લેશો?
શાહીદે શું કહ્યું ?
શાહીદે કહ્યું કે તમારી પાસે આટલી પેસ છે તમારે વિચારવું જોઇએ કે યોર્કર નાંખી શકાય. તમારો એરિયા નહોતો. તમે ખરાબ બોલિંગ કરી, તમે ફરીથી કમબેક કરી શકો છો. તમે એવા બોલર નથી કે કોઇ પણ તમને 3 છગ્ગા મારી દે. જો કે પછી શાહીદે શાહીનની પ્રશંસા પણ કરી હતી અને કહ્યું કે, વર્લ્ડ કપમાં તેણે સારી બોલિંગ કરી છે પરંતુ છેલ્લી મૅચનો સબક તેને યાદ રહેશે. તમને જણાવી દઇએ કે શાહીન, શાહીદ આફ્રીદીનો થનારો જમાઇ છે.
અક્સા સાથે સગાઇ
શાહીદ આફ્રીદીની દીકરી અક્સા સાથે શાહીન આફ્રીદીની સગાઇ થઇ ચૂકી છે. બંનેના જલ્દી જ લગ્ન થવાના છે. અક્સા આફ્રીદીની મોટી દીકરી છે.
આ કેચના કારણે પાકિસ્તાન હાર્યું
મહત્વનું છે કે પાકિસ્તાનની સ્થિતિ ઓસ્ટ્રેલિયા સામે ખુબ સ્ટ્રોંગ દેખાઇ રહી હતી પરંતુ છેલ્લી ઓવરમાં મેથ્યુ વેડનો કેચ હસન અલીએ છોડી દીધો જે બાદ મૅચની શકત સુરત બદલાઇ ગઇ હતી. છેલ્લી ઓવરમાં તેણે 3 છગ્ગા મારી દીધા અને પાકિસ્તાનનો સફર સેમીફાઇનલમાં જ પૂર્ણ થઇ ગયો હતો.