જ્યોતિષ શાસ્ત્ર મુજબ મધના ઉપયોગથી જાતકને મંગળ દોષની સાથે શુક્ર દોષની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. મધના ઉપયોગથી અનેક ગ્રહોને શાંત કરી શકાય છે. જાણો કેવી રીતે કરશો મધનો ઉપયોગ.
શનિ અને મંંગળના દોષને દૂર કરવા માટે કરો આ ઉપાય
મધના ખાસ ઉપાયથી ગ્રહોને કરી શકશો શાંત
શનિની સાડાસાતી અને ઢૈયામાંથી પણ મળશે રાહત
મધનો ઉપયોગ કરી ગ્રહોને કરો શાંત
મધનો ઉપયોગ સામાન્ય રીતે દરેક વ્યક્તિના ઘરમાં કરવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના વ્યંજનની સાથે-સાથે પૂજા પાઠમાં ઉપયોગ કરવામાં આવે છે. ભગવાન શિવ પર મધથી અભિષેક કરવો શુભ માનવામાં આવે છે. તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ મધના ઉપયોગથી જાતકને મંગળ દોષની સાથે શુક્ર દોષની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. એટલું જ નહીં, મધનો ઉપયોગ કરીને જાતક શનિની સાડાસાતી, ઢૈયા અને શનિ દોષના પ્રભાવને ઘણી હદ સુધી ઘટાડી શકે છે. જાણો કેવીરીતે કરશો મધનો ઉપયોગ.
મધનો આ રીતે ઉપયોગ કરી ગ્રહોની સ્થિતિ કરો મજબૂત
મંગળ દોષ માટે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો ચોથા ભાવમાં મંગળ અશુભ છે તો મધ સંબંધી બિઝનેસ બિલ્કુલ પણ ના કરવો જોઈએ. ચોથા ભાવમાં મંગળની સ્થિતિ નબળી છે, તો તેનુ શુભ ફળ મેળવવા માટે માટીના વાસણમાં મધ ભરીને કોઈ અવાવરૂ જગ્યા પર દબાવી દો.
જો જાતકની કુંડળીમાં મંગળ સાતમા ભાવમાં મંદ થઇને બેઠો છે તો શુભ ફળ પ્રાપ્ત કરવા માટે કોઈ સુમસામ જગ્યા પર એક માટીના વાસણમાં મધ ભરીને દબાવી દો.
જન્મ કુંડળીમાં મંગળ 12મા ભાવમાં છે તો દરરોજ સવારે ખાલી પેટ થોડુ મધનુ સેવન કરો. તમે ઈચ્છો તો પાણીમાં મિલાવીને પણ પી શકો છો. જેનાથી લાભ મળશે.
મંગળ દોષથી છૂટકારો મેળવવા માટે ભગવાન શિવ પર મધથી અભિષેક કરવો જોઈએ. જેનાથી ભગવાનની કૃપાથી દરેક કામમાં સફળતા પ્રાપ્ત થશે.
શુક્રને શાંત કરવા માટે
જો કુંડ઼ળીમાં બીજા ભાવમાં શુક્ર છે તો મધનુ દાન કરો. જેનાથી સંતાન સંબંધી સમસ્યામાંથી છૂટકારો મળશે.
શનિ દોષમાંથી છૂટકારો મેળવવા કરો આ ઉપાય
કુંડળીમાં શનિ દોષ, સાડા સાતીમાંથી છૂટકારો મેળવવા માટે ઘરમાં એક માટીના વાસણમાં મધ રાખવુ જોઈએ. શનિની કોઈ પણ પ્રકારની પીડાથી પરેશાન છો તો પાંચ શનિવાર મંદિરમાં મધનુ દાન કરો. જેનાથી શુભ ફળની પ્રાપ્તિ થશે.