વ્યક્તિ જીવનમાં ગમે એટલું પામી લે પંતુ પોતાના માતા-પિતા સામે એ નાનો જ રહે છે. ત્યારે બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનને લઈને પણ એવું જ છે. તે જ્યારે પણ દિલ્હી જાય છે આ ખાસ કામ અવશ્ય કરે છે.
શાહરૂખ ખાન તેના પરિવાર સાથે સારું બોન્ડિંગ શેર કરે છે
તે જ્યારે પણ દિલ્હી જાય છે તે તેના અબ્બૂ અમ્મીની કબર પર સજદા જરૂર કરે છે
શાહરૂખની ભાવુક તસવીરો થઈ વાયરલ
બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાન એક જબરદસ્ત એક્ટર હોવાની સાથે તેનાં અંગત જીવનમાં પણ એક સજ્જન વ્યક્તિ છે. પરિવારની સાથે તેની બોન્ડિંગ જણાવે છે કે, તે તેના પરિવારને કેટલો પ્રેમ કરે છે. શાહરૂખ ખાન પાસે આજે બધું જ છે પણ માતા-પિતાનો પ્રેમ હવે તેની પાસે નથી. જેથી તે જ્યારે પણ દિલ્હી જાય છે તે તેના અબ્બૂ અમ્મીની કબર પર સજદા જરૂર કરે છે.
શાહરૂખ ખાન હાલમાં તેની અપકમિંગ ફલ્મ 'પઠાણ'ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ અંગે તે એટલે ચર્ચામાં છે કારણ કે વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'ઝીરો' બાદ આ તેની પહેલી ફિલ્મ છે. પ્રખ્યાત ફોટોગ્રાફર વિરલ ભયાણીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શાહરૂખની એક તસવીરશેર કરી છે. જેમાં કિંગ ખાન તેના અબ્બૂ-અમ્મીની કબર પર સજદા કરતો જોવા મળી રહ્યો છે.
હકીકતમાં શાહરૂખ ખાન જ્યારે પણ દિલ્હી આવે છે, ત્યારે તે તેનાં અબ્બૂ અમ્મીની કબર પર આવીને શ્રદ્ધાજંલિ આપે છે અને સજદા કરે છે. આ તસવીર હાલની છે કે જૂની છે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ તસવીરમાં તે વ્હાઇટ શર્ટ અને બ્લેક ટ્રાઉઝરમાં જોવા મળી રહ્યો છે. આ દરમિયાન તે તેના અમ્મી-અબ્બૂની કબર પર સજદા કરી રહ્યો છે. તેની આસપાસ કેટલાક લોકો ઉભેલાં દેખાય છે.
શાહરૂખ ખાન જ્યારે પણ દિલ્હી આવે છે તે તેના અમ્મી અબ્બૂની કબર પર આવે છે અને તેમની પાસે બેસી રહે છે આ વાતનો ઉલ્લેખ શાહરૂખ ખાને તેનાં ઇન્ટરવ્યૂઝમાં પણ ઘણી વખત કર્યો છે. શાહરૂખ કહે છે કે, લોકો કહે છે કે હું હવે દિલ્હીવાળો નહી પણ મુંબઇવાળો થઇ ગયો છું. પણ હું તેમને કેવી રીતે કહું કે, દિલ્હીને હું અને દિલ્હી મને ક્યારે છોડી શકતા નથી.. કારણ કે મારા અમ્મી- અબ્બૂ અહીં છે.
તમને જણાવી દઇએ કે, શાહરૂખ ખાનના પિતાનું નામ મીર તાજ મોહમ્મદ હતું, તેના પિતા એક સ્વતંત્રતા સેનાની હતા અને ચીફ એન્જિનિયર હતા. જ્યારે શાહરૂખ કોલેજમાં હતો તે સમયમાં તેના પિતાનું નિધન કેન્સરને કારણે થઇ ગયું હતું. તેની અમ્મીનું નામ લતીફા ફાતિમા હતું. તેની માતાનું નિધન 1990માં થયુ હતું.