યમુના એક્સપ્રેસ વે પર શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. જેમાં એક કાર અજાણ્યા વાહન સાથે અથડાતાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
યમુના એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના!
અજાણ્યા વાહન સાથે કારની ટક્કરતા
સાત લોકોના ઘટનાસ્થળે જ થયા મોત
ઉત્તર પ્રદેશના મથુરા પાસે એક માર્ગ અકસ્માતમાં 7 લોકોના કરૂણ મોત
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટના મથુરા પાસે યમુના એક્સપ્રેસ વે પર થઈ હતી. જેમાં એક કાર અજાણ્યા વાહન સાથે અથડાઈ હતી. આ અકસ્માત થાણા નૌઝીલ વિસ્તારના યમુના એક્સપ્રેસ વે પર માઈલસ્ટોન નંબર 68 પર થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં એક બાળક સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ છે. SP શ્રીશ ચંદ્રાના જણાવ્યા અનુસાર મૃતકોમાં ત્રણ મહિલા, ત્રણ પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે. જેઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
Uttar Pradesh | Seven people died & two injured after a vehicle hit their car on Yamuna Expressway near Mathura
SP (Rural), Shrish Chandra says, "Three women, three men & one child died on spot while another child & a man are hospitalised. They were going to a wedding in Noida." pic.twitter.com/G36q1tQaGc
પોલીસે જણાવ્યું આ અકસ્માતમાં બે લોક ગંભીર રીતે ઘાયલ
પોલીસે જણાવ્યું કે કાર અકસ્માતમાં માર્યા ગયેલા 7 લોકો ઉપરાંત એક બાળક અને એક પુખ્ત ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે કારમાં 9 લોકો સવાર હતા. આ તમામ લોકો નોઈડામાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ આગ્રાથી નોઈડા જઈ રહેલી કારને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહોને કારમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તમામ મૃતકો હરદોઈ જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે.
उत्तर प्रदेश के मथुरा में हुई सड़क दुर्घटना हृदयविदारक है। इस हादसे में जिन्होंने अपने प्रियजनों को खो दिया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મથુરા જિલ્લાની પાસે આવેલા યમુના એક્સપ્રેસ હાઈવે પર થયેલા અકસ્માતમાં 7 લોકોના મૃત્યુ પર ઘેરો શોક વ્યક્ત કર્યો છે. તેમજ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. આ સાથે PM મોદીએ પણ ઉત્તર પ્રદેશના મથુરામાં થયેલા માર્ગ અકસ્માત જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છુંઃ પીએમ