17મી ઓગસ્ટે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ જોડાશે ભાજપમાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસના સિનિયર નેતા નરેશ રાવલે આજે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. ત્યારે નરેશ રાવલ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ અને કોંગ્રેસના દલિત નેતા રાજુ પરમાર હવે કેસરિયો ધારણ કરશે. કોંગ્રેસના 2 દિગ્ગજ નેતાઓ આગામી તારીખ 17મી ઓગસ્ટે વિધિવત રીતે ભાજપમાં જોડાશે.
17 ઓગસ્ટના રોજ સવારના 11 વાગે આ બંને સિનિયર નેતાઓ ભાજપમાં જોડાશે. મહત્વનું છે કે, નરેશ રાવલે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'અમે બધા ઘણા વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. અત્યારે મારે કારણમાં નથી પડવું. કોંગ્રેસમાં મને કડવા અનુભવ થયા છે. સાચી પરિસ્થિતિ સમજ્યા વગર કામ થાય છે. પ્રદેશ નેતાઓ અને હાઇકમાન્ડ દ્વારા કડવા અનુભવ થયા છે. PM નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં હું અને રાજુ પરમાર ભાજપમાં જોડાશું. કોંગ્રેસમાં ટીમ વર્કનો મોટો અભાવ છે. કોંગ્રેસમાં એહમદ પટેલની કમી દેખાઈ છે.' ઉલ્લેખનીય છે કે, નરેશ રાવલ અને રાજુ પરમારે ગઈકાલે CR પાટીલ સાથે બેઠક કરી હતી.'