દેશમાં હવાઇ મુસાફરી કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહી છે. એવામાં એક ગ્રાહક તરીકે તમને ખબર હોવી જોઇએ કે એરલાઇન્સ તમને કઇ-કઇ સુવિધાઓ આપે છે જેનો ફાયદો ઉઠાવવો જોઇએ. આજે અમે તમને જણાવીશું કે જો તમારી ઉંમર 60 વર્ષ છે તો તમે દેશમાં મુસાફરી કરવા પર વિમાન ભાડાંમાં છૂટ મળી શકે છે. આ છૂટ બેઝિક ભાડા પર મળે છે અને અલગ-અલગ એરલાઇન્સના 6%થી લઇને 50 % સુધીની છૂટ આપે છે.
- સૌથી વધારે છૂટ Air India આપે છે. તે 60 વર્ષ કે તેનાથી વધારે વયના મુસાફરોને બેઝિક ભાડા પર 50 % ની છૂટ આપે છે. તો બીજી તરફ ખાનગી એરલાઇન્સ કંપની વાત કરવામાં આવે તો આ છૂટ 6-8% છે. આ છૂટનો લાભ મેળવવા માટે આપણે સંબંધિત એરલાઇન્સની સાઇટ પરથી ટિકિટ બુક કરાવવાની હોય છે. ટિકિટ પર બાકીના તમામ ચાર્જ ચુકવવાના હોય છે.
- આ સિવાય ઘણી એરલાઇન્સ કેટલીક સીટો જ સીનિયર સિટીઝન્સ માટે ડિસ્કાઉન્ટ માટે રાખે છે. તેથી બુકિંગ જલદી કરાવવા પર જ તેનો ફાયદો મળે છે. સીનિયર સિટીઝન ક્વોટાથી બુક ટિકિટ પર બેવ-ચેક-ઇન સુવિધા નથી હોતી. આ પાછળ સૌથી મોટું કારણ છે કે યાત્રીનૂ ઉમંર વેરિફાઇ કરીને જ એરલાઇન્સ ચેક ઇન કરે છે. જો ચેક ઇનના સમયે યાત્રી પોતાની ઉંમરના દસ્તાવેજો રજૂ કરવામાં અસફળ રહે તો તેમને છૂટના રૂપે મળેલી રાશિને આપ્યા પછી જ યાત્રા કરવાની અનૂમતિ મળે છે.
- અહીં પણ ધ્યાન આપવા લાયક વાત એ છે કે એરલાઇન્સ નક્કી રૂટ અને ઇકોનોમી ક્લાસમાં જ આ છૂટ આપે છે.તેથી વિમાન પ્રવાસ પહેલાં સીનિયર સિટીઝનોએ પૂરી જાણકારી લઇને જ ટિકિટ બુક કરાવવી જોઇએ.
- Air Indiaઆ છૂટ દેશમાં ક્યાય પણ જવા પર આપે છે જોકે ઘણી એરલાઇન્સ પસંદગીના સેક્ટર્સ પર છૂટ આપે છે. Air Indiaના PRO એ જણાવ્યુ કે ટિકિટ બુક કારવતા સમયે સીનિયર સિટીઝનોના વિકલ્પ પર ક્લિક કરવા પર ભાડામાં 50% સુધીની છૂટ મળે છે. આ છૂટ મેળવવા માટે આ ટિકિટ ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલા ખરીદવાની રહે છે. જો તમે Air Indiaમાં યાત્રાની 1 વર્ષ પહેલા પણ ટિકિટ ખરીદી શકો છો. આ રીતે ખરીદેલી ટિકિટ તમે કેન્સલ પણ કરાવી શકો છો પરંતુ આ માટે કેટલીક રાશિ ભરવી પજશે. જો તમે રાશિ આપીને તમારી યાત્રાની તારીખ આપી શકો છો. પરંતુ ટિકિટ પરનું નામ નહી બદલી શકાય.
- * આ પણ ધ્યાન રાખો:
આ છૂટ માત્ર બેઝિક ભાડા પર મળે છે તેથી ઘણી વાર તે ખૂબ ઓછી હોય છે. તે સિવાય એરલાઇન્સ અનેક પ્રકારની ઓફર રજૂ કરે છે જે આ છૂટથી વધારે સારી હોય છે. તેથી સીનિયર સિટીઝનોએ આવી ઓફરો અથવા અન્ય ડિસ્કાઉન્ટ વિશે જાણકારી મેળવ્યા બાદ જ ટિકિટ બુક કરાવવી જોઇએ. આ વાતનું પણ ધ્યાન રાખો કે જે એરલાઇન્સ પર ડિસ્કાઉન્ટ લઇ રહ્યા છો ક્યાંક બીજી એરલાઇન્સની સામાન્ય ટિકિટ તેના કરતાં સસ્તી તો નથી ને.
- કોઇ પણ ભારતનો નાગરિક સ્થાયી રીતે અહીંયા રહેતો હોય અને યાત્રા શરૂ કર્યાની તારીખ સુધી 60 વર્ષનો થઇ ગયો હોય તો આ છૂટ મેળવી શકશે. વય અને સરનામાની ખરાઇ માટે તે સરકારે ઇશ્યૂ કરેલા કોઇ આઇડી કાર્ડને દેખાડી શકે છે જેમાં તેનો ફોટો લાગેલો હોય અને તેની વય લખેલી હોય. તેમાં વોટર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે સામેલ છે.