જેતપુરમાં એકાએક વાતાવરણમાં પલટો આવવાની સાથે અહીયા ધીમીધારે મેઘરાજાએ એન્ટ્રી કરી છે. સાથેજ અરવલ્લી અને વડોદરામાં પણ ધોધમાર વરસાદને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જેતપુરમાં ધીમીધારે વરસાદનું આગમન
અરવલ્લીમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ
વડોદરામાં પણ કડકાભડાકા સાથે વરસાદ
છેલ્લા ઘણા સમયથી રાજકોટના લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. કારણકે અહીયા પાણીની પણ ભારે અછત સર્જાઈ છે. જોકે લાંબા વિરામ બાદ મેઘરાજા અહીયા મહેરબાન થયા હોય તેવું લાગે છે. કારણકે જેતપુરમાં હવે લાંબા વાતવરણમાં પલટો આવવાની સાથે ધીમધારે વરસાદ શરૂ થયો છે. જેથી લોકોમાં આંનદનો માહોલ છવાઈ ગયો છે.
ખેડૂતો ખુશખુશાલ
ખાસ કરીને જગતનો તાત આતુરતાથી વરસાદની રાહ જોઈને બેઠો હતો અને મેઘરાજાના આગમાન બાદ અહીયાના ખેડૂતોમાં હવે આનંદનો માહોલ ફેલાઈ ગયો છે. જો વરસાદ પડશે તો ખેડૂતોને અહીયા સિંચાઈ માટેનું પાણી પણ મળી રહેશે. કારણકે પાણીની તંગીને કારણે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી પણ નથી મળી રહ્યું.
અરવલ્લીમાં ધોધમાર વરસાદ
બીજી તરફ અરવલ્લીના શામળાજીમાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ આગમન કર્યું. જન્માષ્ટમીના દિવસે શામળાજીમાં વરસાદ પડતા અહીયાના લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મંદિર પરિસરમાં ધોધમાર વરસાદ વચ્ચે ભક્તોએ શામળાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથેજ અહીયાના ખેડૂતોમાં પણ સોથી વધારે આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
વડોદરામાં પણ મોડી રાતે ધોધમાર વરસાદ
ગત મોડી રાતે વડોદરા શહેરમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબા સમયથી શહેરીજનો ભારે ઉકળાટ અને ગરમીને કારણે કંટાળી ગયા હતા. પરંતુ ધોધમાર વરસાદ પડવાને વાતાવરણમાં હાલ ઠંડક પ્રસરી ગઈ છે. અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી
જોકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 4 સપ્ટેમ્બર બાદ હળવોથી ભારે વરસાદ નોંધાઈ શકે છે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થતા હવે વરસાદની આશા બંધાઈ રહી છે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જેથી હવે સિસ્ટમ સક્રિય થતા સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે તેવું હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે.