સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આવેલા મ્યુઝિયમે ભારતીય કલાકૃતિઓને પરત આપવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે હેઠળ ભારતમાંથી ચોરાયેલી સાત કલાકૃતિઓને પરત લાવવામાં આવશે.
ભારતમાં પરત ફરશે 11 મી સદીની કલાકૃતિઓ
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આવેલ મ્યુઝિયમએ કરી જાહેરાત
7 પૌરાણિક કલાકૃતિઓ બ્રિટનથી પાછી આવશે
સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આવેલા મ્યુઝિયમે ભારતીય કલાકૃતિઓને પરત આપવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, જે હેઠળ ભારતમાંથી ચોરાયેલી સાત કલાકૃતિઓને પરત લાવવામાં આવશે. યુકેના આવા મ્યુઝિયમનું આ પ્રથમ પગલું છે. કલાકૃતિઓમાં 14મી સદીની ઇન્ડો-પર્શિયન તલવાર સાથે કાનપુરના એક મંદિરમાંથી લઇ જવામાં આવેલ 11મી સદીમાં પથ્થરમાંથી કોતરવામાં આવેલા દરવાજાનો પણ સમાવેશ થાય છે. 19મી સદી દરમિયાન ઉત્તર ભારતના જુદા જુદા રાજ્યોમાં આવેલા મંદિરોમાંથી છ વસ્તુઓની ચોરી થઈ હતી, જ્યારે સાતમાની માલિક પાસેથી ચોરી બાદ ખરીદવામાં આવી હતી. ગ્લાસગોના સંગ્રહને તમામ સાત કલાકૃતિઓ ભેટમાં આપવામાં આવી હતી.
ભારતીય હાઈ કમિશનર સુજિત ઘોષ ઉપસ્થિત
ગ્લાસગો લાઇફ મ્યુઝિયમના એક નિવેદન અનુસાર, શુક્રવારે ભારતીય હાઈકમિશનના અધિકારીઓની હાજરીમાં આર્ટવર્કની માલિકીનું હસ્તાંતરણ થયું હતું. મ્યુઝિયમનું સંચાલન કરતી એક પરમાર્થ સંસ્થા ગ્લાસગો લાઇફે આ વર્ષની શરૂઆતમાં કલાકૃતિઓ સોંપવાની પુષ્ટિ કરી હતી અને યુકેમાં કાર્યકારી ભારતીય ઉચ્ચાયુક્ત સુજિત ઘોષની હાજરીમાં કેલ્વિંગ્રોવ આર્ટ ગેલેરી એન્ડ મ્યુઝિયમમાં તેને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ગ્લાસગો લાઇફના ચેરમેન અને ગ્લાસગો સિટી કાઉન્સિલના કન્વીનર, બેઇલી એનેટ ક્રિસ્ટીએ જણાવ્યું હતું કે, "ગ્લાસગો અને ભારત બંને માટે આ વસ્તુઓનું પ્રત્યાર્પણ ખૂબ જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે, તેથી આ મહત્વપૂર્ણ પ્રસંગ માટે ભારતીય મહાનુભાવોનું અમારા શહેરમાં સ્વાગત કરવું એ મારા માટે એક લહાવો છે."
ભારત પરત મોકલવામાં આવશે
આ કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ કાર્યકારી હાઈ કમિશનર સુજિત ઘોષે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ કલાકૃતિઓ ભારતની સભ્યતાના વારસાનું અભિન્ન અંગ છે અને હવે તેને સ્વદેશ પરત મોકલવામાં આવશે. "અમે આને શક્ય બનાવનારા તમામ હિતધારકોની પ્રશંસા કરીએ છીએ, ખાસ કરીને ગ્લાસગો લાઇફ અને ગ્લાસગો સિટી કાઉન્સિલ.
કલાકૃતિઓ પરત કરવા માંગ ઉઠાવેલ
લંડનમાં ભારતીય હાઈ કમિશને આ વર્ષની શરૂઆતમાં ગ્લાસગો મ્યુનિસિપલ કાઉન્સિલને કાનપુર, ગ્વાલિયર અને બિહારમાંથી ચોરી કરવામાં આવેલી પુરાતત્ત્વીય મહત્વની છ કલાકૃતિઓ પરત કરવા વિનંતી કરી હતી. ગયા મહિને હાઈકમિશનના વેપાર સચિવ પહેલા જસપ્રીત સિંહ સુખીજાએ દક્ષિણ ભારતની 14મી સદીની ઐતિહાસિક તલવાર અને મ્યાન પરત ફરવાની માંગ ઉઠાવી હતી.