સુરેન્દ્રનગરમાં સ્કૂલ રિક્ષાચાલકોની હડતાળ હજુ પણ યથાવત છે. આજે વઢવાણ સહિત શહેરી વિસ્તારના સ્કૂલ રિક્ષાચાલકોએ સરકાર અને આરટીઓ સામે સૂત્રોચ્ચાર કર્યા. એટલે કે, સ્કૂલ રિક્ષાચાલકો દ્વારે પહેલા નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે અને પછી તેના પર કાર્યવાહી થાય તો હડતાળ પાડી ધમકી આપી છે. ત્યારે સ્કૂલ રિક્ષાચાલકોની આ દાદાગીરી કેટલી યોગ્ય છે. શાળાઓમાં વાહનવ્યવહારના નામે ચાલી રહેલી આ ઇજારાશાહી રોકાવી જરૂરી છે. ત્યારે સવાલ એ છે કે, હડતાળના કારણે પરેશાન થતા વિદ્યાર્થીઓ અને તેમના લાચાર માતા-પિતા માટે લડનારું કોઇ નથી ?. શું આરટીઓ તેની કામગીરી કરે તેમાં હડતાળ કરવાની ?. બાળકોની સુરક્ષા માટે કોઇ નિયમનું પાલન કરાવે તેમાં ખોટું શું છે?. આ રીતે છાશવારે હડતાળ કરવાથી બાળકોના અભ્યાસ પર જે અસર પડે છે તેની જવાબદારી કોણ લેશે ?.