બનાસકાંઠા ના દાંતીવાડાના જેગોલ ગામની શાળામાં વિદ્યાનો વેપાર કરાયાનો કિસ્સોસામે આવ્યો છે જેગોલની માધ્યમિક- ઉચ્ચત્તર માધ્યમિક શાળાના છાત્રોને વિના મુલ્યે અપાતા પુસ્તકો બારોબાર પસ્તીમાં આપ્યા હોવાનું સામે આવ્યું છે
બનાસકાંઠા વિદ્યાર્થીઓને અપાતા પુસ્તકો પસ્તીમાં
દાંતીવાડાના જેગોલ ગામની ઘટના
શાળાએ પુસ્તકો પસ્તીમાં ફેંક્યા
એકબાજુ ભણશે ગુજરાતની ગુલબાંગો વાગી રહી છે અને બીજી બાજુ સરકારી પુસ્તકો પસ્તીમાં વેચાઈ રહ્યા છે. ત્યારે એક જ પ્રશ્ન થાય કે શું આવી રીતે ભણશે ગુજરાત?
બનાસકાંઠામાં વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો પસ્તીમાં ફેંકી દેવામાં આવ્યા છે. દાંતીવાડાના જેગોલ ગામની શાળાના પુસ્તકો પસ્તીમાં ગયા છે. ગરીબ બાળકો માટેના પુસ્તકો પસ્તીમાં ગયા છે. આ પુસ્તકો વિદ્યાર્થીઓને વિના મુલ્યે અપાતા હોય છે.
આચાર્યએ છાત્રોના પુસ્તકો પસ્તીમાં આપી વેપાર કર્યું હતું આચાર્યએ 790કિલો પાઠ્યપુસ્તકો લોડિંગ રીક્ષામાં ભરાવી વિદ્યાર્થીઓના ભણતર માટે આપયેલા પુસ્તકોનું બારોબારીયું થઇ જતા લોકોમાં રોષ જોવા મળ્યો છે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવા ની માનગ ઉઠી છે જે પુસ્તકો શાળા મા વિધાર્થીઓ માટે આપવામાં આવે છે તેજ પુસ્તકો આચાર્ય દ્ધારા બારોબાર વેચી મારતા વાલીઓ મા રોષ જોવા અમાલયો હતો