વડોદરાના છાણીમાં ગુજરાત પબ્લિક સ્કૂલની દાદાગીરી સામે આવી છે. જેમાં સ્કૂલ એડમિન વાલીને ધમકી આપી રહ્યો છે કે ફીના પોષાતી હોય તો એલસી લઇ જાઓ. આ તમામ વાતોનો ઓડિયો વાયરલ થયો છે. એટલું જ નહીં અમદાવાદ, સુરત સહિત શાળાઓમાં આ મુદ્દે ફરિયાદો ઉઠી રહી છે ત્યારે સરકાર તરફથી કોઈ જવાબ કેમ નથી આવી રહ્યો તેવી પણ વાત ઉઠી છે.
વડોદરાના છાણીમાં ગુજરાત પબ્લિક સ્કુલની દાદાગીરી
વાલી અને સ્કુલ એડમિનના વાતચીતનો એડિયો આવ્યો સામે
મારા ટેબલ પર FRCનુ નામ નહિ લેવાનું-સ્કુલ એડમિન, ફી ના પોષાતી હોય તો LC, લઇ જાઓ-એડમિન
વડોદરામાં શાળાની મનમાની
વડોદરાના છાણીમાં ગુજરાત પબ્લિક સ્કૂલની દાદાગીરી સામે આવી છે. જેમાં સ્કૂલ એડમિન વાલીને ધમકી આપી રહ્યો છે કે ફીના પોષાતી હોય તો એલસી લઇ જાઓ. વાલી અને સ્કૂલ એડમિનના વાતચીતનો ઓડિયો સામે આવ્યો છે. જેમાં સ્કૂલ એડમિન કહી રહ્યાં છે કે મારી સામે એફઆરસીનું નામ નહીં લેવાનું અને તમને ફી ના પોષાતી હોય તો એલસી લઇને જતા રહો. સ્કૂલ એડમિન કહે છે કે એફઆરસી મુજબ ફી આજે નહીં અને કાલે પણ નહીં લઇએ. વાલી એફઆરસી મુજબ ફી લેવાની વિનંતી કરી રહ્યાં છે પરંતુ સ્કૂલ એડમિન કહે છે કે ડીઓની સ્કૂલ સમક્ષ કોઇ કાર્યવાહી કરવાની તાકાત નથી. ત્યારે અહિંયા સવાલ એ છે કે શું ગુજરાત પબ્લિક સ્કૂલને શિક્ષણ તંત્રનો ડર નથી?. ગુજરાત પબ્લિક સ્કૂલ વાલીને કેમ ધમકી આપે છે?. શું ગુજરાત પબ્લિક સ્કૂલ સામે DEO કાર્યવાહી કરશે?. આવી સ્કૂલ સામે કેમ કડક પગલા નથી લેવાતા?
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 13, 2020
અમદાવાદની વધુ એક શાળાની મનમાની સામે આવી છે. શાળાએ વાલીઓને ફી ભરવા કર્યા માટે મેસેજ કર્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે, ઓનલાઇન એજ્યુકેશન ના બહાને શાળા ફી ઉઘરાણુ કરી રહી છે. નવરંગપુરા ની સોમલલિત શાળાએ 20 જુન સુધી ફી ભરવા ફરમાન કર્યુ છે. તેમજ ફી ભરાયા બાદ જ બાળકોનુ ઓનલાઇ શિક્ષણ શરૂ કરાશે. આ પ્રકારનો
મસેજ વાલીઓને આપવામાં આવ્યો છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 13, 2020
ભાજપ નેતા વરુણ પટેલે CM ને લખ્યો પત્ર
ઓનલાઈન એજ્યુકેશનને લઈને ભાજપના નેતાએ વાંધો ઉઠાવ્યો છે. વરુણ પટેલે શાળાના સંચાલકોની દાદાગીરીને લઈને CMને પત્ર લખ્યો છે. ઓનલાઈન એજ્યુકેશનમાં ફાયદા કરતા નુકસાન વધુ હોવાનું જણાવ્યું છે. ઓનલાઈન એજ્યુકેશનના નામે વધુ ફી ઉઘરાવવાનું કારસ્તાન હોવાનું જણાવીને વરૂણ પટેલે જણાવ્યું હતુ કે, સરકારે આ સામે કાર્યવાહી કરવી જોઈએ. આ મામલે શાળા સંચાલકો સામે મોરચો મંડાવો જોઈએ. મેં આ અંગે શિક્ષણમંત્રીનો સમય પણ માંગ્યો છે. શાળા સંચાલકો 65 ટકા ફી માફ નહિ કરે તો ભોગવવું પડશે. આ અંગે સરકાર કંઈક પગલા લે તો સારૂ નહીં તો અમે આ મુદ્દે જરૂર મોરચો માંડશું
સળગતા સવાલ
શું ગુજરાત પબ્લિક સ્કૂલને શિક્ષણ તંત્રનો ડર નથી?
ગુજરાત પબ્લિક સ્કૂલ વાલીને કેમ ધમકી આપે છે?
શું ગુજરાત પબ્લિક સ્કૂલ સામે DEO કાર્યવાહી કરશે?
આવી સ્કૂલ સામે કેમ કડક પગલા નથી લેવાતા?
સંકટ સમયે રાહત આપવાની જગ્યાએ દાદાગીરી કેટલી યોગ્ય?