રિયલ્ટી કંપની યુનીટેકના પૂર્વ ડિરેક્ટર્સ સંજય ચંદ્રા અને અજય ચંદ્રાને દિલ્હીની તિહાર જેલમાંથી ખસેડીને મુંબઈની આર્થર રોડ જેલમાં શિફ્ટ કરવાનો સુપ્રીમનો આદેશ છે.
સંજય ચંદ્રા અને અજય ચંદ્રાને તિહાર જેલમાંથી ખસેડવાનો સુપ્રીમનો આદેશ
મુંબઈની આર્થર રોડ જેલમાં શિફ્ટ કરાશે
રિયલ્ટી કંપની યુનીટેકના પૂર્વ ડિરેક્ટર્સ છે સંજય ચંદ્રા અને અજય ચંદ્રા
તિહાર જેલમાં બેઠા બેઠા સંપત્તિના સોદા કરતા હતા
2,000 કરોડના મની લોન્ડરિગ કેસમાં સંજય ચંદ્રા અને અજય ચંદ્રાની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટની તપાસ ચાલી રહી છે.
ઈડીની ચોંકાવનારી રજૂઆતને આધારે સુપ્રીમ કોર્ટે બન્ને આરોપીઓને મુંબઈની આર્થર રોડ જેલમાં ટ્રાન્સફરનો આદેશ આપ્યો છે.
ઈડીએ સુપ્રીમ કોર્ટમાં એવો ચોંકાવનારો રિપોર્ટ આવ્યો હતો કે આરોપી સંજય ચંદ્રા અને અજય ચંદ્રા તિહાર જેલમાં બેઠા બેઠા તેમનો રિયલ એસ્ટેટનો કારોબાર ચલાવી રહ્યાં હતા તથા જમીન-મકાન લે-વેચના મોટા સોદાઓ પાર પાડી રહ્યાં હતા.
ઈડીની રજૂઆત અનુસાર, સંજય ચંદ્રા અને અજય ચંદ્રાને તિહાર જેલમાં એક મોટું સામ્રાજ્ય ખડું કર્યું હતું. ઈડીએ કહ્યું કે અમને અમારી તપાસમાં સાઉથ દિલ્હીના ગ્રીન પાર્કમાં એક ગુપ્ત ભોયરું પણ મળ્યું હતું જેનો ઉપયોગ યુનીટેકના ફાઉન્ડર રમેશ ચંદ્રા તેમના દિકરા સંજય અે અજયને મળવા માટે કરતા હતા.
ઈડીએ સુપ્રીમને એવી પણ જાણ કરી કે ચંદ્રા બંધુઓ તિહાડ જેલના સત્તાવાળાઓની સાંઠગાંઠથી જેલમાં ઘણી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા હતા. તેઓ સાક્ષીઓને ડરાવી ધમકાવી રહ્યાં હતા તથા જેલમાં રહીને બહારની દુનિયા સાથે સંપર્ક સાધી રહ્યાં હતા.
ઈડીની રજૂઆત બાદ સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસ કમિશનરને આ કેસની તપાસનો આદેશ આપ્યો છે. ચંદ્રા બંધુઓ સાથે મિલિભગત કરનાર તથા જેલમાં ગેરકાયદેસર ગતિવિધિઓમાં ભાગીદારી કરવા માટે સુપ્રીમ કોર્ટે તિહાર જેલના વહિવટીતંત્રને પણ આકરી ફટકાર લગાવી હતી.
શું છે મામલો
યુનિટેક ગ્રુપ અને ચંદ્રા ભાઈઓની સામે મની લોન્ડરીંગના આરોપની તપાસ ઈડી ચલાવી રહી છે. ચાલુ વર્ષની શરુઆતમાં ઈડીએ યુનિટેક અને ચંદ્રા બંધુઓની સામે કેસ દાખલ કર્યો હતો. ઈડીનો આરોપ છે કે ચંદ્રા બંધુઓએ સાયપ્રસ અને બીજા દેશોમાં 2,000 ની રકમ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરી છે.