SCની યુપી સરકારને નોટિસ, 3 દિવસમાં સોગંદનામું રજૂ કરો
અમારે લોકોની સુરક્ષા વિશે વિચારવું પડશે: SC
ઉત્તર પ્રદેશમાં બુલડોઝરની કાર્યવાહી પર રાજ્ય સરકારને નોટિસ આપતાં સુપ્રીમ કોર્ટને ત્રણ દિવસમાં સોગંદનામું આપવાનું કહેવામાં આવ્યું છે. આ મામલે હવે આવતા સપ્તાહે કોર્ટમાં સુનાવણી થશે .કોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું કે, તેઓ ગેરકાયદેસર અતિક્રમણને હટાવવાનું રોકી શકતા નથી, પરંતુ ગેરકાયદે બાંધકામ તોડતા પહેલા કાયદાની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ. આજે જમિયત ઉલેમા-એ-હિંદની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમારે લોકોની સુરક્ષા વિશે વિચારવું પડશે.
સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકારી નોટીસ
આજે સુનાવણી દરમ્યાન અરજદાર તરફથી હાજર રહેલા વકીલે આરોપ લગાવ્યો કે, કોઈ પણ નોટિસ વિના એક સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. જમીયત તરફથી હાજર રહેલા એડવોકેટ નિત્યા રામકૃષ્ણન અને સીયુ સિંઘ જમિયતે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી. અહીં, યુપી સરકારે દાવો કર્યો હતો કે, તમામ ગેરકાયદે બાંધકામો સામે વહીવટી કાર્યવાહી લાંબા સમયથી ચાલી રહી છે. તેમણે કહ્યું કે અરજદાર હકીકતથી વાકેફ નથી.
જમિયત ઉલેમા-એ-હિંદની કોર્ટ પાસે કાર્યવાહી રોકવા માટે નિર્દેશ કરવાની માંગ
અરજીમાં જમિયતે માંગ કરી છે કે, તે યુપી સરકારને કાર્યવાહી રોકવા માટે નિર્દેશ આપે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, યોગ્ય કાયદાકીય પ્રક્રિયા વિના કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સાથે જમીઅતે બુલડોઝરની કાર્યવાહી માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે.
વહીવટી તંત્રે એકતરફી કાર્યવાહી કરી ?
જમીયત ઉલેમા-એ-હિંદના લીગલ સેલના સેક્રેટરી ગુલઝાર અહેમદ આઝમીના હસ્તાક્ષર હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 3 જૂને મુસ્લિમ સમુદાયના લોકોએ કાનપુરમાં પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં પ્રદર્શન કર્યું હતું. તેની હિંદુ સમુદાયના લોકો સાથે ઘર્ષણ થયું. જે બાદ બંને સમુદાયના લોકોએ પથ્થરમારો કર્યો હતો. પરંતુ તે પછી વહીવટીતંત્રે એકતરફી કાર્યવાહી કરી હતી. એક વર્ગના લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.