નવા વ્યાજ દર 10 ઓક્ટોબરથી લાગૂ થશે. સ્ટેટ બેંકે આ નાણાંકીય વર્ષમાં સતત છઠ્ઠી MCLR આધારિત વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. હવે લોન સસ્તી થશે અને EMI પણ ઘટી જશે. જો કે હોમ લોન પર વ્યાજદરમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવામા આવશે નહીં.
SBIએ MCLR આધારિત લોન પર વ્યાજ દરમાં ઘટાડો કર્યો હોવાની જાહેરાત કરી છે.
સ્ટેટ બેંકે અલગ અલગ અવધિની લોન પર વ્યાજ દરમાં 10 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો છે
વ્યાજ દર ઘટવાથી લોન સસ્તી થશે અને હાલના ગ્રાહકોની EMI ઘટી જશે
ગત વખતે SBI એ 9 સપ્ટેમન્બરે પણ MCLR લોન પર વ્યાજ દર ઘટાડ્યો હતો
જો તમારું ભારતીય સ્ટેટ બેંકમાં અકાઉન્ટ છે તો આ સમાચાર તમારા માટે છે. વાસ્તવમાં SBIએ સેવિંગ બેંક ડિપૉઝીટના વ્યાજ દર ઓછા કરી દીધા છે. નવા દર 1 નવેમ્બર 2019થી લાગૂ થશે. SBI અત્યાર સુધી સેવિંગ અકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધી જમા રાખનારને 3.50 ટકાના બિસાબથી વ્યાજ આપે છે. જે હવે 3.25 ટકાના હિસાબથી ગ્રાહકોને આપશે. SBI રિટેલ ડિપૉઝીટ પર 0.10% અને બલ્ક ડિપૉઝીટ પર 0.30 ટકા દર ઘટાડ્યા છે.
SBI તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તહેવારોમાં ગ્રાહકોને વધુ ફાયદો પહોંચાડવા માટે બેંકે તમામ અવધિ માટે MCLR દર 0.10 ટકા સુધી ઘટાડી દીધા છે. હવે એક વર્ષ માટે નવી MCLR દરો 8.15 ટકાથી ઘટાડીને 8.05 ટકા પર આવી ગયો છે. નવા દરો 10 ઑક્ટોબરથી લાગુ થશે. બેંકે હાલના નાણાકિય વર્ષમાં સતત છઠ્ઠી વાર દરો ઘટાડ્યા છે.
RBIના રૅપો રેટ ઘટાડ્યા બાદ SBIએ MCLR પર આધારિત લૉનની દરો ઘટાડી દીધા છે. હવે દર મહિને EMI 0.10 ટકા સુધી સસ્તો થઈ ગયો છે.
નોંધનીય છે કે, બેંકો દ્વારા MCLR વધારવા કે ઘટડવાની અસર લૉન લેનારા ઉપરાંત તે ગ્રાહકોને પણ થાય છે, જેઓએ એપ્રિલ 2016 બાદ લૉન લીધી હોય.