પૂર્વાચલમાં એવી કેટલીય ધાર્મિક ધરોહર છે જેનો ઇતિહાસ પૌરાણિક છે તો આ સ્થળો આસ્થાનું કેન્દ્ર પણ છે. આ પૈકી ભદોહી જિલ્લાના ગોપીગંજ ક્ષેત્રમાં તિલંગા સ્થિત તિલેશ્વર નાથ મંદિર છે. આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ વર્ષમાં 3 વખત પોતાનું સ્વરૂપ બદલે છે. આ ઘટનાને પગલે લાખો લોકો અહીં દર્શન કરવા આપી ચડે છે. શ્રાવણ માસમાં આ મંદિરનું વિશેષ મહત્વ રહેલું છે.
ઉલ્લેખનીય છે કે ભારતમાં એવા કેટલાક શિવલિંગ આવેલ છે જે ચમત્કારી શક્તિ ધરાવતા હોવાને કારણે જાણીતા છે. ભગવાન શિવના કેટલાક શિવલિંગ પર જળધારા પણ વરસતી હોય છે તો કેટલાક શિવલિંગનો આકાર દિવસે-દિવસે વધતો રહે છે. આ ક્રમમાં એક યુપીના ભદોહી જિલ્લામાં આવેલ તિલેશ્વર નાથ મંદિરમાં સ્થાપીત શિવલિંગ જ્યાં શ્રાવણમાં થોકબંધ ભક્તો દર્શન કરવા આવી પહોંચે છે. ગંગાના તટ પર સ્થિત મંદિરના આ શિવલિંગ પોતાના રહસ્યમય સ્વરૂપ માટે જાણીતા છે.
પાંડવકાળના આ શિવલિંગ વર્ષની 3 ઋુતુઓ મુજબ 3 વખત પોતાનું સ્વરૂપ બદલતું હોવાને કારણે પ્રસિધ્ધ છે. આ સ્થળ પર ભક્તોનું અપાર શ્રધ્ધા અને વિશ્વાસ રહેલો છે. માન્યતા મુજબ પાંડવોએ પોતાના અજ્ઞાતવાસ સમયે આ લિંગની સ્થાપના કરી હતી. મહાભારતના વન પર્વમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપને જણાવી દઇએ કે આ મૂર્તિ ચાર માસમાં સ્વતઃ રંગ બદલે છે. શ્રાવણમાં કાળું સ્વરૂપ ઉનાળામાં ઘઉવર્ણો અને ગ્રીષ્મ ઋુતુમાં આ શિવલિંગનો ભૂરો કલર થાય છે.
ઉલ્લેખનીય છે કે મંદિરના મહાસચિવના જણાવ્યા મુજબ 1997માં શ્રી તિલેશ્વરનાથ શૃંગાર સમિતિના નેતૃત્વમાં મંદિર સુંદરીકરણ માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ ખોદકામમાં 20 ફુટ સુધી પહોંચ્યા બાદ શિવલિંગનુ છેલ્લું છોર પ્રાપ્ત થઇ શક્યું નહોંતું
આ મંદિરના પૂજારાએ શિવલિંગના રહસ્ય વિશે જાણકારી આપતા જણાવ્યું કે આ શિવલિંગ શ્રાવણ માસમાં સ્લેપ છોડે છે. પરંતુ આજદિન સુધી કોઇના હાથે લાગ્યું નથી. આ શિવલિંગની જે સાચા મનથી પ્રાર્થના આરાધના કરે તેની તમામ મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે.