શ્રાવણ હિંદૂ ધર્મનો એક એવો મહિના છે જેમાં ભગવાન શંકર અને તેમની પૂજા કરવાનો મહિમા રહેલો છે. વાસ્તવમાં આ મહિનાને નવરાત્રિની જેમ જ પવિત્ર માનવામાં આવે છે જેથી પૂજા પાઠ કરનારા લોકો આ મહિનામાં પણ નવરાત્રિની જેમ માંસાહારને ત્યાગ કરી દે છે. સામાન્ય રીતે આ મહિનામાં શિવલાયોમાં શિવલિંગ પર જળ ચઢાવવાનો બિલિપત્ર ચઢાવવા માટે શ્રદ્ઘાળુઓની ભારે ભીડ જામે છે અને આ મહિનામાં લોકો કલ્યાણ માટે રુદ્રાભિષેક કરે છે.
શ્રાવણના મહિનામાં ભગવાન શંકરની અરાધના અને પૂજા-પાઠ વિશેષ ફળદાયી સાબિતરૂપ થાય છે. એવી માન્યતા છે કે આ દરમિયાન ભગવાન શંકર પોતાના કૃપા પર સતત કૃપા બનાવી રાખે છે અને તેમની તમામ આજીજીઓ સાંભળીને પૂરી કરે છે. આજ કારણથી ભગવાનના ભક્તો શ્રાવણના સોમવારે તેમની પૂજાઅર્ચના કરવાનું ચૂકતા નથી. કહેવામાં આવે છે કે શ્રાવણ મહિનાના સોમવારના દિવસે વ્રત કરવાથી અને ભગવાન શંકરની પૂજડા કરનાર વ્યકિતની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
શ્રાવણ મહિનામાં જે મહિલાઓ વ્રત કરે છે તેમને મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ-સમુદ્ઘિનો વધારો થાય છે. વિવાહિત મહિલાઓ દ્વારા શ્રાવણમાં વ્રત સૌભાગ્યકારી અને ભાગ્યવર્ધક સાબિત થાય છે અમે તમને જણાવીશું શ્રાવણમાં આ ઉપાયો કરવાથી ભગવાન જરૂરથી તમારા થશે પ્રસન્ન...
- શ્રાવણ મહિનાની શરૂઆત જ્યારથી થાય ત્યારથી શિવલિંગ પર જળ દૂધ અને બિલિપત્ર અર્પણ કરો આમ કરવાથી તમામ કષ્ટ દૂર થશે.
- શ્રાવણ મહિનાના સોમવારના જળ 11 બિલિપત્ર ધતૂરા જાસૂદના ફૂલ અર્પણ કરો આમ કરવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે અને સફળતા મળશે.
- શ્રાવણ મહિનામાં દરરોજ ભગવાન શંકરના શિવલિંગ પર શેરડીનો રસ ધરાવવાથી ધન સબંધિત પરેશાનીઓ દૂર થાય છે.
- સોમવારના દિવસે શિવલિંગની અડધી પરિક્રમા કર્યા પછી 108 વખત મનમાં જ ऊं नम: शिवायના મંત્રનો ઉચ્ચાણ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
- સોમવારના દિવસે તમે જળથી ભગવાન શંકરના શિવલિંગ પર અર્પણ કરો અને આરતી કરવાથી આયુષ્ય વધે છે.
- જો તમે શિવલિંગ પર જળ ચઢાવવા પછી મધ અર્પિત કરો આમ કરવાથી તમારી વાણી મધુર થશે અને લોકોમાં પ્રિય બનશો.
- સોમવારના દિવસે શિવલિંગ પર જળ ચઢાવ્યા પછી ભગવાન સૂર્યદેવને પણ જળ અર્પિત કરો. આમ કરવાથી યશમાં વધારો થશે.