બોટાદમાં જનતાને છેતરતો વધુ એક નમૂનો સામે આવ્યો છે. બોટાદમાં રાજકીય કાર્યક્રમમાં જનમેદની ઉમટી પડી હતી. બોટાદમાં સૌરભ પટેલના સ્નેહમિલનનો કાર્યક્રમ હતો જેમાં ભીડ ભેગી થઈ હતી અને સામાજિક અંતરનો ભંગ થયો હતો એટલું જ નહીં પરંતુ કોવિડના નિયમોની ઐસી તૈસી કરવામાં આ ભીડમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો પણ હાજર હતા.
આ સ્નેહ મિલન સર્કિટ હાઉસ ખાતે યોજવામાં આવ્યું હતુ. જ્યાં હેકડેઠેટ જનમેદની એકઠી થતાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું કોરોનાના નિયમો જનતા માટે જ છે? મંત્રીઓને કોરોના નહીં થાય? તેમને કોરોનાના નિયમો લાગૂ નથી પડતા? કોવિડ-19ના નિયમો સામાન્ય લોકોને જ લાગુ પડે?