સાઉદી અરબની રાજકુમારી ઘણા સમયથી જેલમાં બંધ છે, તેના વિશે તેને જ ખુદ ટ્વિટ કરીને માહિતી આપી. ત્યાર બાદ લોકોને એ જાણવાની ઇચ્છા વધી ગઈ કે અંતે અત્યાર સુધી શાહી પરિવારને આની જાણ કેમ ન થઇ. આવો વિસ્તારથી તેના વિશે જાણીએ.
સાઉદીની રાજકુમારી એ ટ્વિટ કરીને આપી માહિતી
જેલમાં બંધ છે અને બિમાર હોવાનું લખ્યું
થોડા સમયમાં જ ટ્વિટ ડિલીટ થયું હતું
રાજકુમારીનું નામ બસ્મા બિંતે સાઉદ છે. તેમણે કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ અને ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાને પોતાને છોડાવવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે તેમની તબિયત ખરાબ થઇ ગઇ છે જેનાથી તેનું મોત પણ થઇ શકે છે. જેલમાં કોઈ પણ પ્રકારની મેડિકલ સુવિધા નથી મળી રહી. સમયસર સારવાર નહીં થાય તો મારુ મોત થઇ શકે છે. આ બધી વાતો તેમણે ટ્વિટર પર લખી હતી. જે ટ્વિટ હવે ડિલીટ કરી નાખ્યા છે.
કિંગ સલમાનના સંબંધમાં રાજકુમારી બસ્માના કાકા અને ક્રાઉન પ્રિન્સના કાકાના દીકરા થાય છે. તેઓ સાઉદી દેશના સંસ્થાપકની પૌત્રી છે. 56 વર્ષની રાજકુમારી બસ્મા શાહ સાઉદની સૌથી નાની દીકરી છે જે 1953થી 1964 સુધી સાઉદી અરબના શાસક રહ્યા હતા.
મહિલાઓના હકમાં વાત કરતી હતી રાજકુમારી
સાઉદીમાં ઓછી મહિલાઓ છે જે સામે આવીને પોતાની વાત રાખતી હતી. રાજકુમારી બસ્મા તેમાંની એક છે. તેઓ સાઉદીમાં ફેરફાર લાવવાની તરફેણ કર્યા કરતી હતી. તેમના લેખ સમાચારપત્રોમાં આવતા હતા. મહિલાઓના અધિકારો વિશે બોલ્યા કરતી હતી. બસ્મા કામથી માનવાધિકાર વકીલ છે અને હાઉસ ઓફ સાઉદીની સભ્ય છે.
વર્ષ 2018માં તેમણે યમનમાં યુદ્ધની કડક આલોચના કરી હતી. સાથે જ યુદ્ધને પૂર્ણ કરવાની અપીલ પણ કરી હતી. ત્યારે આ યુદ્ધના સૌથી મોટા સમર્થક કોઈ બીજા નથી પરંતુ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન હતા. જે તેમના કાકાના દીકરા છે.
રાજકુમારી બસ્મા 2019ના શરૂઆતના મહિનાઓથી ગુમ હતી. મળતી માહિતી અનુસાર, ફેબ્રુઆરી 2019માં તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી.
પહેલી વખત તેમણે 16 એપ્રિલે ટ્વિટ કર્યું, જેમાં તેમણે દાવો કર્યો કે તેમને વગર કોઈ કારણે જેલમાં બંધ કરી દેવામાં આવી છે. તેમણે કિંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાનને કહ્યું કે તેઓ મારા કેસની સમીક્ષા કરે, જો મે કોઈ ભૂલ નથી કરી તો મને જેલથી છોડી દેવામાં આવે.
રાજકુમારીએ જણાવ્યું કે, તેમને વગર કોઈ ગુનામાં રિયાદ સ્થિત અલ-હાયર જેલમાં તેમની દીકરી સાથે કેદ કરી દેવામાં આવી છે. રાજકુમારીએ જણાવ્યું કે, મારુ સ્વાસ્થ્ય એક હદ સુધી બગડી રહ્યું છે જે ગંભીર છે અને તેનાથી મારુ મોત થઇ શકે છે. મેં કેટલીક વખત મેડિકલ સેવાઓ માટે જેલથી રૉયલ કોર્ટને પત્ર લખ્યા, પરંતુ કોઈ પણ પ્રકારનો જવા નથી આવ્યો. ન મને કોઈ જવાબ મળ્યો અને ન કોઈ મેડિકલ સેવા. બસ વગર કોઈ સ્પષ્ટતાએ મને અને મારી દીકરીને જેલમાં રાખવામાં આવી છે. જ્યારે રાજકુમારીની ધીરજ ખુટી ત્યારે તેમણે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી કેટલાક ટ્વિટ કર્યા. જોકે આ તમામ ટ્વિટ હવે ડિલીટ થઇ ચૂક્યા છે.