બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sardhav village secondary school celebrated its 80th birthday

ઉજવણી / ગાંધીનગરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, ગાંધીજી અને દેશના સૈનિકોને યાદ કરીને CM શું બોલ્યા જુઓ

Published By: Khyati

Last Updated: 09:34 AM, 12 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરઢવની માધ્યમિક શાળાના 80 વર્ષ પૂર્ણ થતા શાળાનો જન્મદિવસ ઉજવાયો, મુખ્યમંત્રીએ સરઢવ ગામે લોકો સાથે પ્રભાતફેરીમાં ભાગ લીધો

  • ગાંધીનગરના સરઢવ ગામે શાળાના જન્મદિનની ઉજવણી 
  • સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્રભાતફેરીમાં જોડાયા
  • ગાંધીજી કહેતા કે સાચું ભારત ગામડામાં વસેલું છેઃ CM

ગાંધીનગરમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માધ્યમિક શાળાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. સરઢવની માધ્યમિક શાળાને 80 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા, સરઢવ ગામે ગ્રામજનો સાથે પ્રભાતફેરીમાં પણ ભાગ લીધો હતો.

ગામના ઉત્સાહને વિકાસના કર્યો થકી અમે પરત કરીશુઃ CM

અમદાવાદમાં પીએમ મોદીએ સરપંચોના મહાસંમેલનમાં શાળાના જન્મ દિવસની ઉજવણી કરવા અપીલ કરી હતી જેને ધ્યાને રાખીને સરઢવમાં આવેલી માધ્યમિક શાળાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.  આ પ્રસંગે  સીએમએ જણાવ્યું હતું કે ગામના ઉત્સાહને વિકાસના કાર્યો થકી અમે પરત કરીશું , તો શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે દરેક ગામડામાં શાળાના જન્મદિવસની ઉજવણી થવી જોઇએ. 

પાણી-વીજળી બચાવી દેશ સેવા કરી શકીએ- ભૂપેન્દ્ર પટેલ

તેઓએ વધુમાં જણાવ્યુ કે હવે ગામડા ધીરે ધીરે શહેરો જોવા બની રહ્યા છે. ગાંધીજીને યાદ કરતા એમ પણ જણાવ્યું કે ગાંધીજી કહેતા કે સાચું ભારત ગામડામાં વસેલું છે. સારા સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતીની જરુરિયાત ઉભી થઇ છે.   સરહદે સૈનિકો દેશ માટે સેવા આપે છે તેવી રીતે આપણે પાણી અને વીજળી બચાવીને દેશ સેવા કરી શકીએ છીએ.

 

માધ્યમિક શાળાના 80 વર્ષ પૂર્ણ થતા ઉજવણી

સરઢવમાં માધ્યમિક શાળાના જન્મદિનની ઉજવણીમાં વૃક્ષારોપણ-પશુ સારવાર કેમ્પનું આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ એનિમલ કંટ્રોલ ડિસીઝ પ્રોગ્રામ અન્વયે પશુ રસીકરણ કેમ્પનો પણ પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મંગળવારે આજે સવારે ૬-૩૦ કલાકે ગાંધીનગર નજીકના સરઢવ ગામે પ્રભાત ફેરીમાં સહભાગી થયા હતા.મુખ્યમંત્રી સરઢવ ગામની પ્રભાત ફેરીમાં જોડાઇને આત્મનિર્ભર ભારતની આઝાદીનું ગૌરવ ગાન કરવા સાથે સ્વાતંત્ર્ય વીરોના સપનાના રાષ્ટ્રના નિર્માણની જનચેતના ગ્રામજનોમાં ઉજાગર કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

azadi ka amrut mahotsav gandhinagar પ્રભાતફેરી ભૂપેન્દ્ર પટેલ સરઢવ gandhinagar

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ