મહારાષ્ટ્રમાં સત્તાની નજીક પહોંચીને દૂર પહોંચી ચુકી શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રથી બીજેપીના અંતની શરૂઆત થશે. તેઓ કહ્યું કે શરદ પવાર એક રાષ્ટ્રીય નેતા છે. બીજેપી અને અજિત પવારે ખોટુ પગલુ ઉઠાવ્યું છે. તેઓએ દાવો કર્યો છે કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની પાસે 165 ધારાસભ્યો છે.
સંજય રાઉતે કહ્યું છે કે મહારાષ્ટ્રથી બીજેપીના અંતની શરૂઆત થશે
સંજય રાઉતનો દાવો, શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની પાસે 165 ધારાસભ્યો છે
સંજય રાઉતે કહ્યું, શરદ પવાર એક રાષ્ટ્રીય નેતા છે. બીજેપી અને અજિત પવારે ખોટુ પગલુ ઉઠાવ્યું
સંજય રાઉતે રવિવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે જ્યારે જનતા સુઇ રહી હતી ત્યારે દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા. આ એક એક્સિડેન્ટલ શપથ છે. અને હવે બીજેપી આઇસીયૂમાં છે. સંજય રાઉતે કહ્યું કે મારા કારણે બીજેપીની સાથે શિવસેનાનું ગઠબંધન નથી તુટ્યું.
એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સંજય રાઉતે કહ્યું કે, અમે સરકાર બનાવવા જઇ રહ્યા હતા પરંતુ ફડણવીસે પોકેટમારી કરી છે. અમારી ઉપર કેટલો પણ અત્યાચાર કરશે, અમે ઝુકીશું નહીં. અમારો શાપ છે કે બીજેપી ( BJP ) વાળા ખતમ થઇ જશે.
શિવસેના, કોંગ્રેસ અને NCPની સાથે 165 ધારાસભ્યો
સંજય રાઉતે કહ્યું કે, શરદ પવાર એક રાષ્ટ્રીય નેતા છે. બીજેપી અને અજિત પવારે ખોટુ પગલુ ઉઠાવ્યું છે. શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સાથે 165 ધારાસભ્યો છે. અજિત પવારે શનિવારે રાજભવનમાં નકલી દસ્તાવેજ રજુ કર્યા અને રાજ્યના રાજ્યપાલે તેનો સ્વીકાર કરી લીધો.
રાઉતે કહ્યું કે CBI, ED, ઇનકમ ટેક્સ અને પોલીસ આ ચારેય બીજેપીના પાર્ટી વર્કર છે. વર્તમાન રાજ્યપાલ ( ભગત સિંહ કોશ્યારી ) પણ બીજેપીના વર્કર છે. પરંતુ બીજેપી પોતાના જ ખેલમાં ફસાઇ ગઇ છે. આ તેના અંતની શરૂઆત છે.