પાત્રા ચોલ કૌભાંડમાં ફસાયેલા શિવસેનાના સાંસદ સંજય રાઉતે વિપક્ષને એક પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા તેમણે આભાર વ્યક્ત કર્યો છે કે, મુશ્કેલના સમયમાં સદનની અંદર અને બહાર સમર્થનમાં અવાજ ઉઠાવ્યો હતો. પત્રમાં તેમણે બાળા સાહેબ ઠાકરેના વાક્યને યાદ કર્યા જેમાં કહેવાયુ હતું કે, રડો નહીં, જે સાચુ છે, તેના માટે લડો.
સંજય રાઉતે આ વાત પર ભાર આપ્યો હતો કે મુશ્કેલ સમયમાં જ ખબર પડે છે કે, આપના અસલી સાથી કોણ છે, કોણ લોકો છે, જે આપના શુભચિંતકો છે. પત્રમાં રાઉતે ભાજપ અને કેન્દ્ર સરકાર પર તેમના વિરુદ્ધ પોલિટિકલ વિચ હંટ ચલાવાનો આરોપ પણ લગાવ્યો હતો. પણ શિવસેના સાંસદ ઝૂકવાના નથી. તેઓ આ તપાસથી તૂટવાના પણ નથી. તેમણે વિપક્ષને મેસેજ આપ્યો છે કે, અંત સુધી લડતા રહીશું, કોઈનું પણ દબાણ તેમને તોડી શકશે નહીં.
आप ऊस व्यक्ती को नहीं हरा सकते..
जो कभी हार नहीं मानता!
झुकेंगे नही!
जय महाराष्ट्र pic.twitter.com/lp7VXzqtmj
પત્રના અંતમાં સંજય રાઉતે આશા વ્યક્ત કરી હતી કે, યોગ્ય સમય આવતા અમારી જીત થશે. અમારા વિચારોની જીત થશે અને આ દેશ યોગ્ય દિશામાં આગળ વધશે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, હાલમાં ધીરજ બતાવવી પડશે. સંયમથી કામ લેવું પડશે. પણ સમય આવતા જીત અમારી થશે. પત્રમાં સંજય રાઉતે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગેનો પણ આભાર વ્યક્ત કર્યો હતો, જેમણે આ સમગ્ર વિવાદ દરમિયાન તેમનું સમર્થન કર્યું હતું.
આ કૌભાંડની વાત કરીએ તો, ઈડીની પાસે સંજય રાઉતની આઠ ઓગસ્ટ સુધી કસ્ટડી છે. તેમની સાથે સતત પૂછપરછ ચાલી રહી છે. તેમની પત્ની સાથે પણ સવાલ જવાબ થઈ રહ્યા છે. સંજય રાઉતનું કહેવુ છે કે, બારી વગરનો તેમને રૂમ આપવામાં આવ્યો છે, સુનાવણી દરમિયાન પણ સંજય રાઉતે કોર્ટને આ વાતની જાણકારી આપી હતી કે, છેલ્લા 4 દિવસમાં ઈડીની રિમાન્ડને લઈને કોઈ ફરિયાદ આવી નથી. બસ ઈડીના અધિકારીઓએ તેમને જે રૂમમાં રાખ્યા છે, ત્યાં કોઈ બારી કે વેંટિલેશન નહોતું. આ આરોપ પર હિતેન વેણેગાંવકરે કોર્ટને જણાવ્યું કે, સંજય રાઉતને જે રૂમમાં રાખવામાં આવ્યા છે, તે એકદમ એર કંડીશંડ છે. એટલા માટે તેમા વેંટિલેશનની જરૂર નથી.