કેન્દ્રીય રસાયણ મંત્રી ડીવી સદાનંદ ગૌડાને દેશમાં વેકસીનની અછતને લઈને પૂછવામાં આવતા સવાલ પર ગુસ્સે થયા હતા.
મોદી સરકારના બગડ્યા બોલ
વેક્સિનની અછતને લઈને આપ્યું નિવેદન
પુરતી વેક્સિન ન મળે તો તો અમે શું ફાંસી લગાવી લઈએ?
બેંગલોરમાં પત્રકાર દ્વારા સવાલ પૂછવામાં આવ્યા હતા. તેમાં તેમણે સામે પ્રશ્નો કર્યા કે, સરકારમાં રહેલા લોકોને વેકસીનની અછતના કારણે પોતાની જાતને ફાંસી લગાવી લેવી જોઈએ ? અને ભાજપના મહાસચિવ સીટી રવિએ જણાવ્યું કે જો વ્યવસ્થા ના હોત તો 10 ગણા વધારે મૃત્યુ થયાં હોત.
શું પોતાને ફાંસી પર લટકાવી દઈએ?
ગૌડાજીએ પત્રકારોને કહ્યું કે 'અદાલત દ્વારા સારા વિચારો સાથે કહેવામાં આવ્યું છે કે દરેક લોકોએ વેક્સીન લેવી જોઈએ. હું તમને પૂછવા માંગુ છું કે કાલે અદાલત કહે કે આટલા લોકોને વેક્સીન આપવાની છે અને તેવું ના થઈ શકે તો શું અમે પોતાને ફાંસી પર લટકી જઈએ ? વેક્સીનની અછતના સવાલો પર કેન્દ્રીય મંત્રી દ્વારા સરકારની યોજનાઓ પર ભાર આપ્યો અને કહ્યું કે, તેમના નિર્ણય કોઈપણ રાજનીતિક લાભ અથવા તો કોઈ અન્ય કારણોથી પ્રભાવિત થતાં નથી.
ઘણી વસ્તુઓ અમારા નિયંત્રણોથી બહાર હોય છે
ગૌડાજીએ કહ્યું કે સરકાર પોતાનું કામ પુરી ઈમાનદારીથી કરે છે પરંતુ ઘણી વાર થોડી ક્ષતિ પણ સામે આવે છે. મંત્રીએ જાણવા માંગ્યું, ' વ્યાવહારીક રૂપથી,થોડી વસ્તુઓ અમારા નિયંત્રણોથી બહાર હોય છે, શું અમે એનો પ્રબંધ કરી શકીએ છીએ ? એમને સ્પષ્ટ કર્યું કે સરકાર સુનિશ્ચિત કરવા માટે પોતાની તરફથી સર્વ શ્રેષ્ઠ કામ કરી રહી છે કે એક અથવા તો બે દિવસોમાં વસ્તુઓમાં સુધારો થશે અને વેકસીન લાગાવી શકાશે.
દેશમાં 24 કલાકમાં 3.62 લાખથી વધારે કેસ
ભારતમાં 24 કલાકમાં 3.62 લાખથી વધારે કેસ નોંધાયા છે. જ્યારે 4126 લોકોના મોત થયા છે. જો કે કાલની મોતની સરખામણીમાં આજે મોતના આંકડા થોડા ઓછા છે. પણ નવા કેસમાં વધારો નોંધાયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાનુસાર દેશમાં 24કલાકમાં 362,406 નવા કેસ મળ્યા છે. 4,126 લોકોના મોત થયા છે. 3704099થી વધારે એક્ટિવ કેસ છે. ત્યારે અત્યાર સુધીમાં 19382642 લોકો સાજા થયા છે. ભારતમાં થઈ રહેલી મોતે અમેરિકા અને બ્રાઝિલને પાછળ છોડ્યું છે.
અમેરિકા, બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધારે મોત છે
બુધવારે દેશમાં સૌથી વધારે 4205 લોકોના મોત થયા હતા. જે અત્યાર સુધીમા સૌથી વધારે છે. તો એક દિવસમાં સૌથી વધારે ટેસ્ટ 19,83,804 થયા. ગુરુવાકે કુલ મોતનો આંકડો એક નવા રેકોર્ડે પહોંચ્યો છે. આ આંકડા લગભગ 2 લાખ 58 હજાર થઈ ગયા છે. અમેરિકા, બ્રાઝિલ બાદ ભારતમાં સૌથી વધારે મોત છે. જોકે ડેલી મોતમાં ભારતે આ દેશોને પાછળ છોડ્યુ છે.
દુનિયામાં થઈ રહેલી દર ત્રીજી મોત ભારતમાં
ભારતમાં આ સમયે દર રોજ સૌથી વધારે દર્દી મળી રહ્યા છે અને સૌથી વધારે મોત થઈ રહ્યા છે. જે સમગ્ર દુનિયામાં સૌથી વધારે છે. રોયટર્સના કોરોના ટ્રેકરના મુજબ સમગ્ર દુનિયામાં થઈ રહેલી દર ત્રીજી મોત ભારતમાં થઈ રહી છે. ભારતમાં દર રોજ સરેરાશ 3800 મોત થઈ રહ્યા છે. જ્યારે પુરી દુનિયામાં દર રોજ લગભગ 12 હજાર મોત થઈ રહ્યા છે.