રાજસ્થાનના અલવર જિલ્લામાં અંધવિશ્વાસના કારણે એક 11 વર્ષના માસુમ બાળકની બલિ આપી દેવામાં આવી છે. રવિવારે બાળકની લાશ રુંવાડા ઉભા કરી દે તેવી હાલતમાં મળી આવી હતી. બાળકના કાન, નાક અને નખ કપાયેલા હતા. તેની આંખમાં કાજલ હતું અને તેનું શરીર અલગ અલગ જગ્યાએ કપાયેલું હતું.
અમીર બનવાની લાલચમાં કર્યુ કૃત્ય
11 વર્ષના બાળકની આપી બલિ
નાક-કાન કાપીને ઉતાર્યો મોતને ઘાટ
બાળકના પિતાએ જ ગામના ઢોંગી બાબા અને પોતાના જ પરિવારના કેટલાક લોકો પર આરોપ લગાવ્યો છે કે તેમણે આ બાળકની હત્યા કરી દીધી છે. હાલ આરોપી ફરાર છે અને પોલિસ તેની શોધખોળ કરી રહી છે.
રસ્તા પર મળી આવી લાશ
મળતી માહીતી અનુસાર 11 વર્ષના બાળકનું નામ નિર્મલ છે અને તેની લાશ રવિવારે ગામના એક ખેતર પાસેથી મળી આવી હતી. જ્યાં લોકોને તેની હત્યા થઇ જવાના પુરાવા મળ્યા છે. જ્યાં લાશ મળી છે ત્યારે ત્યાં નાક, કાન અને કાન કપાયેલા મળ્યા હતા. શુક્રવારે મૃતકના પિતાએ અકબરપૂર પોલિસ સ્ટેશનમાં બાળકના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી પરંતુ તેમનું કહેવું છે કે પોલિસે તેના બાળકને શોધવાનો પ્રયત્ન નહોતો કર્યો.
ઘટનાની સૂચના મળ્યા બાદ માલાખેડા સ્ટેશનના પોલિસ સહિત અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા. FSLની ટીમ અને ડૉગ સ્ક્વોડના લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. લાશને કબ્જામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું છે.
પિતાએ લગાવ્યો આરોપ
મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે કે પરિવારના કેટલાક લોકોએ અમીર બનાવાની લાલચમાં મારા બાળકનું અપહરણ કર્યુ અને લોકોના નામ પણ નોંધાવ્યા છે. તેમણે મારા બાળકનું શુક્રવારે અપહરણ કર્યુ અને તેને મારીને બાદમાં ખેતરમાં આવીને તેની બલિ આપી દેવામાં આવી છે.
પોલિસે કહ્યું કે ખેતરમાં બાળકની લાશ મળી હતી અને પોલિસ ઘટનાની તપાસ કરી રહી છે. જલ્દી જ આરોપીઓને પકડી લેવામાં આવશે. મૃતકના પિતાએ કેટલાક લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી દીધી છે અને જલ્દી જ આ મામલાનો ખુલાસો થઇ જશે.