જમ્મૂ-કાશ્મીરમાં કલમ 370ને દૂર કરી વિશેષ રાજ્યનો દરજ્જો દૂર કર્યા બાદ પાકિસ્તાન આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. જો કે આ વચ્ચે અમેરિકાના નાયબ વિદેશ મંત્રી જૉન સુલિવાન ભારતની મુલાકાતે પહોંચ્યા છે.
અમેરિકાના નાયબ વિદેશમંત્રીએ ભારતની મુલાકાત બાદ જણાવ્યું હતું કે ચીનની નીતિઓથી એશિયાને બદલતું રોકવા માટે ભારત અને અમેરિકાએ ગાઢ મિત્રતા કરવી પડશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે કલમ 370 હટાવ્યા બાદ યુએનએસસીમાં બંધ બારણે યોજાયેલી બેઠક બાદ અમેરિકાના નાયબ વિદેશ મંત્રીએ આ નિવેદન આપ્યું છે. જો કે યુએનએસસીમાં યોજાયેલ બેઠકમાં અમેરિકા, રશિયા સહિત બ્રિટેને ભારતને સમર્થન આપ્યું હતું.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના નાયબ વિદેશ મંત્રી સાથે મુલાકાત કરી બંને દેશો વચ્ચેની રણનીતિ સંબંધો પર ચર્ચા કરી. ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના નાયબ વિદેશ મંત્રી જૉન સુલિવાને નવી દિલ્હી ખાતે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ટવિટ કરી જણાવ્યું કે અમેરિકાના નાયબ વિદેશ મંત્રી જૉન સુલિવાન સાથે મુલાકાત કરી આનંદ થયો. જયશંકરે જણાવ્યું કે બંને દેશ વચ્ચે વ્યૂહાત્મક સંબંધનો લઇને ચર્ચા કરવામાં આવી. વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાથી આવેલા પ્રતિનિધિમંડળ સાથે પણ મુલાકાત કરી.
Glad to receive Deputy Secretary @StateDept John Sullivan. Discussing the deep convergences of our strategic relationship. pic.twitter.com/lMvH8MQfK5
આ મુલાકાત બાદ અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા મૉર્ગન ઑર્ટાગસે એક નિવેદન આપતાં જણાવ્યું કે બંને દેશના નેતાઓ વચ્ચે ક્ષેત્રીય સુરક્ષા, અફઘાનિસ્તાનમાં શાંતિને આગળ ધપાવવા, ભારત-અમેરિકા વેપાર અને રોકાણ સંબંધોને વિસ્તારવા પર ચર્ચા કરવામાં આવે.
તેમના વચ્ચે હિન્દ-પ્રશાંત ક્ષેત્ર અંગે વાતચીત થઇ. અમેરિકાના વિદેશ ઉપ સચિવ જૉન જે સુલિવન 11 ઓગસ્ટથી 17 ઓગસ્ટ સુધી ભારત અને ભૂટાનની યાત્રા પર છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના વિદેશ નાયબ સચિવ જૉન સુલિવાનના પ્રવાસ અગાઉ અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું હતું કે આ પ્રવાસનો હેતુ ભારત સાથે સંબંધોને વધુ મજબૂત કરવાને લઇને છે. આ મુલાકાત બંને દેશો વચ્ચે લોકતાંત્રિક મૂલ્યો, આર્થિક વિકાસને કટિબદ્ધ છે.