કેન્દ્ર સરકાર આજે શ્રીલંકાની સ્થિતિ પર એક સર્વપક્ષીય બેઠક કરી રહી છે. જેની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર કરી રહ્યા છે.
કેન્દ્ર સરકાર આજે શ્રીલંકાની સ્થિતિ પર એક સર્વપક્ષીય બેઠક કરી રહી છે. જેની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર કરી રહ્યા છે. અહીં વિદેશ મંત્રીએ સાંસદોને શ્રીલંકાની હાલત પર જાણકારી આપી રહ્યા છે.
The situation is unprecedented and India is worried about it. But drawing comparisons is uninformed: EAM Dr S Jaishankar at all-party leaders’ meeting on the situation in Sri Lanka pic.twitter.com/B8q0qKzgzp
શ્રીલંકામાં તૈનાત ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારી કારણવગરના હુમલામાં ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. ભારતીય હાઈકમિશને મંગળવારે આ પ્રકારની જાણકારી આપી છે. હાઈકમિશને ભારતીય નાગરિકોને શ્રીલંકામાં નવીનતમ ઘટનાઓેથી અવગત રહેવા અને તે હિસાબે અવરજવર કરવા તથા અન્ય ગતિવિધિઓની યોજના બનાવવા માટે કહ્યું છે. શ્રીલંકામાં અભૂતપૂર્વ આર્થિક સંકટના કારણે રાજકીય ઉથલપાથલ બાદ શ્રીલંકામાં અશાંતિની સ્થિતિ ઊભી થઈ છે. કાર્યવાહક રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘને નવા રાષ્ટ્રપતિ ચૂંટવા માટે બુધવારે થનારી મહત્વની ચૂંટણી પહેલા સોમવારે કટોકટી લગાવી દીધી હતી.
#WATCH | Delhi: Govt's all-party leaders’ meeting on the situation in Sri Lanka begins in Delhi. EAM Dr S Jaishankar briefs the MPs. pic.twitter.com/3U7Ft6pJ2S