રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને 'ઓપરેશન ગંગા' (Operation Ganga) અભિયાન દ્વારા લાવવામાં આવી રહ્યાં છે. ત્યારે રોમાનિયાથી બુખારેસ્ટથી સ્પેશિયલ ઈન્ડિગો ફ્લાઈટ દ્વારા 219 ભારતીય નાગરિકોને ભારત પરત લવાયાં.
યુક્રેનમાં ફસાયેલ 219 ભારતીય નાગરિકોને પરત ફર્યા
દિલ્હીનાં જ માત્ર 579 લોકો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા
પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે ટ્વીટ કરીને માહિતી આપી
કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ દિલ્હી એરપોર્ટ પર દિલ્હી પરત ફરેલા 219 ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું. કૈલાશ ચૌધરીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત યુક્રેનમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા પર સતત નજર રાખી રહ્યાં છે. જ્યાં સુધી દરેક ભારતીય નાગરિક ઘરે પરત નહીં ફરે ત્યાં સુધી 'ઓપરેશન ગંગા' ચાલુ જ રહેશે. તેમના અન્ય દેશોમાં રહેવાથી લઇને તેમને તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી સરકારે ગુરુવારનાં રોજ જણાવ્યું કે, 'રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનાં જ માત્ર 579 લોકો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા છે અને અહીંથી 299 લોકોને પરત લાવવામાં આવ્યાં છે.'
Operation Ganga: Flight with 219 Indians stranded in Ukraine reaches Delhi from Romania
અધિકારીઓએ જણાવ્યું કે, 'સાંજ સુધી જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (SDM), સહિત જિલ્લા અધિકારીઓએ તે 606 વિદ્યાર્થીઓના નિવાસની મુલાકાત લીધી હતી કે જેઓને યુક્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે અથવા જેઓ હજુ પણ ત્યાં અટવાયેલા છે તેમ અધિકારીઓએ જણાવ્યું. તેઓએ કહ્યું કે, 624 લોકોના પરિવારજનોનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો હતો અને મદદની ઓફર કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી યાદી અનુસાર યુક્રેનમાં દિલ્હીથી 878 લોકો હતાં.
"जितने भी दिल्लीवासी इस वक़्त यूक्रेन में फंसे हुए हैं, उनसभी के परिजनों के साथ दिल्ली सरकार लगातार संपर्क में हैं। हिंडन एयरफोर्स बेस या IGIA पर यूक्रेन से आने वाले दिल्ली के निवासियों को दिल्ली सरकार उनके घरों तक पहुंचाएगी।"- राजस्व मंत्री श्री @kgahlotpic.twitter.com/QzbZ4CDILm
— Office of Minister Kailash Gahlot (@Min_KGahlot) March 3, 2022
પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે ટ્વીટ કરીને માહિતી આપી
ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કૈલાશ ગહલોતે ગુરુવારે ટ્વીટ કર્યું હતું કે, 'દિલ્હી સરકાર યુક્રેનમાં ફસાયેલા લોકોના પરિવારના સતત સંપર્કમાં છે. દિલ્હી સરકાર હિંડન અથવા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવનારી રાષ્ટ્રીય રાજધાનીના લોકોને તેમના ઘર સુધી પહોંચાડવાની ખાતરી કરશે.'
વરિષ્ઠ સરકારી અધિકારીઓએ ગુરુવારનાં રોજ જણાવ્યું હતું કે, 'દિલ્હી સરકારના પરિવારજનોનો સંપર્ક કરવાની કવાયત દરમિયાન યુક્રેનથી પરત ફરેલા કેટલાંક વિદ્યાર્થીઓએ તેમને પરત લાવવાના ભારત સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે યુક્રેનને સરહદો સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીઓ, સંકલનનો અભાવ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય અંગેની તેમની ચિંતાઓ વિશે પણ વાત કરી હતી.'
ભારતીય સંરક્ષણ મંત્રાલયે ખારકિવમાં ફસાયેલા લોકો માટે એડવાઈઝરી જારી કરી
સંરક્ષણ મંત્રાલયે યુક્રેનના ખારકિવમાં ફસાયેલા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે. મંત્રાલયે લોકોને રશિયન સૈન્ય ટુકડીમાંથી મુક્તિ મેળવવા માટે સફેદ ધ્વજ અથવા સફેદ કપડું લહેરાવવાનું કહ્યું છે. બે-ત્રણ શબ્દો રશિયન ભાષામાં શીખી લો જેમ કે- 'અમે વિદ્યાર્થી છીએ, અમે લડાકુ નથી. કૃપા કરીને અમને નુકસાન ન પહોંચાડો, અમે ભારતીય છીએ.'