રશિયા-યુક્રેન વચ્ચે છેડાયેલ જંગને આજે 8મો દિવસ છે. 24 ફેબ્રુઆરીનાં રોજ રશિયાએ યુક્રેન વિરૂદ્ધ યુદ્ધ છેડવાની જાહેરાત કરી હતી. ત્યારે આટલાં દિવસો બાદ પણ રશિયા-યુક્રેન વચ્ચેનાં યુદ્ધનો હજુ અંત નથી આવ્યો. એવામાં રશિયાએ હવે ખારકીવ પર મિસાઇલ એટેક શરૂ કરી દીધા છે.
ખારકીવમાં સંરક્ષણ વિભાગના મુખ્યાલય પર ક્રૂઝ મિસાઇલનો હુમલો
રશિયા-યુક્રેન વચ્ચે છેડાયેલ જંગને આજે 8મો દિવસ
યુક્રેનના 15 શહેરોમાં હવાઇ હુમલાને લઇ એલર્ટ
રશિયા-યુક્રેન વચ્ચે છેડાયેલ જંગને આજે 8મો દિવસ છે. 24 ફેબ્રુઆરીનાં રોજ રશિયાએ યુક્રેન વિરૂદ્ધ યુદ્ધ છેડવાની જાહેરાત કરી હતી. ત્યારે આટલાં દિવસો બાદ પણ રશિયા-યુક્રેન વચ્ચેનાં યુદ્ધનો હજુ અંત નથી આવ્યો. એવામાં રશિયાએ હવે ખારકીવ પર મિસાઇલ એટેક શરૂ કરી દીધા છે.
પેરિસના મ્યુઝિયમમાંથી વ્લાદિમીર પુતિનની મીણની પ્રતિમા પણ હટાવી દેવાઇ
આવી સ્થિતિમાં રશિયાએ હવે યુક્રેનના સૌથી મોટા શહેર ખારકીવમાં તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે. ખારકીવના ઇજિયમ વિસ્તારમાં રાતભર રશિયા તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. જેમાં 2 બાળકો સહિત 8નાં મોત થઇ ચૂક્યાં છે. તો બીજી બાજુ તાજેતરમાં જ પેરિસના મ્યુઝિયમમાંથી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મીણની પ્રતિમા પણ હટાવી દેવાઇ છે. યુક્રેન પર રશિયાના આક્રમણના કારણે પેરિસના ગ્રેવિન મ્યુઝિયમના ડિરેક્ટરે પુતિનની પ્રતિમા હટાવવાનો નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે, 'અમે ક્યારેય ગ્રીવિન મ્યુઝિયમમાં હિટલર જેવાં સરમુખત્યારનું પ્રતિનિધિત્વ નથી કર્યું. અમે આજે પુતિનનું પ્રતિનિધિત્વ કરવા નથી માંગતા.'
અત્રે નોંધનીય છે કે, રશિયા સતત આઠ દિવસથી યુક્રેનના અનેક શહેરો પર બોમ્બમારો અને મિસાઇલ એટેક કરી રહ્યું છે. જેમાં કીવ, ખારકીવ અને બુકા તેમજ ઇરપિન શહેરમાં અનેક ઇમારતો ખંડેરમાં ફેરવાઇ ગયા છે.
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન મોદી આજે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાઇ વડાપ્રધાન સ્કૉટ મોરિસન અને જાપાની પીએમ ફુમિયો કિશિદા સાથે
Quadrilateral Security Dialogue (QUAD) નેતાઓની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે. રશિયા-યુક્રેન વચ્ચે થઇ રહેલા યુદ્ધ વચ્ચે ક્વોડ મીટિંગ એક મોટું ડેવલપમેન્ટ છે.
માત્ર એક જ સપ્તાહની અંદર 10 લાખ લોકો યુક્રેન છોડીને ભાગ્યાં : UN
UN કમિશ્નર ઑફ રેફ્યુઝી ફિલિપો ગ્રાંડીનું કહેવું છે કે, સાત દિવસ પહેલાં રશિયાનું યુદ્ધ શરૂ થયા બાદથી અત્યાર સુધી ઓછામાં ઓછાં 10 લાખ લોકો યુક્રેન છોડીને ભાગી ગયા છે.