રાજ્યમાં ચૂંટણીને હવે આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે. ચારો તરફ પ્રચારનો ધમધમાટ ચાલું છે, ક્યાક મતદારોને મત આપવાના ધમકી ભર્યા વીડિયો વાયરલ થઇ રહ્યા છે, તો ક્યાક માતાજીના સોંગંધ અપાઇ રહ્યા છે, જ્યારે આજે પરષોત્તમ રૂપાલાએ મહેસાણાના ઉંઝાથી ચૂંટણીમાં માતાજીને વચ્ચે ન લાવવાનું પોતાના અંદાજમાં નિવેદન આપ્યું છે.
મહેસાણાની ઊંઝા બેઠક પર પેટાચૂંટણીમાં આશાબેન ભાજપના ઉમેદવાર છે. ત્યારે નારાયણ પટેલના જૂથ દ્વારા તેમના વિરૂદ્ધમાં મત આપવાની લોકોને અપીલ કરાઈ. આ મામલે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ પ્રતિક્રિયા આપી છે.
પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિએ ચૂંટણીમાં માતાજીને વચ્ચે ન લાવવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની પ્રવૃતિ કરે તે પક્ષ વિરોધી પ્રવૃતિ કહેવાય છે. આ મામલે પક્ષના દિગ્ગજ નેતાઓ દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
મહત્વનુ છે કે, આશાબેન ભાજપમા જોડાતા નારાયણ પટેલના જૂથમાં નારાજગી જોવા મળી રહી છે. નારાયણ પટેલના જૂથ દ્વારા આશાબેન પટેલને હરાવવા માટે શપથ લેવામાં આવ્યા હતા. આશાબેન પટેલને હરાવવા માટે ભાજપના કાર્યકરોએ શપથ લીધા હતા.