સુરતની રબર ગર્લ અન્વીને આજે પીએમ મોદી દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો છે. આપને જાણીને નવાઈ લાગશે અન્વી 75 ટકા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે તેમ છતા પણ રાષ્ટ્રીય સ્તરે તેણે તેની એક અલગ ઓળખ બનાવી છે.
સુરતની રબર ગર્લ અન્વીને પીએમ મોદીએ આપ્યો એવોર્ડ
છેલ્લા 3 વર્ષથી અન્વી યોગ કરી રહી છે
75 ટકા બૌદ્ધિક દિવ્યાંગ હોવા છતા પોતાની આગવી ઓળખ બનાવી
સુરતની દિકરી અન્વી ઝાંઝરુકિયામને આજે વડાપ્રધાન મોદીના હસ્તે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એવોર્ડ આપવામાં આવ્યો હતો. જોકે આ એવોર્ડ પીએમ મોદી દ્વારા વર્ચ્યુઅલી આપવામાં આવ્યો છે. આપને જાણીને નવાઈ લાગશે કે દિવ્યાંગ હોવા છતા પણ સતત મહેનત કરીને અન્વીએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.
3 વર્ષથી શીખી રહી છે યોગ
અન્વી પાસે યોગની એક અદ્ભુત કળા છે જેના દ્વારા તે તેનુ શરીર અલગ અલગ રીતે વાળી શકે છે. પરિણામે તેણે રબર ગર્લ તરીકે ઓળખ બનાવી છે. છેલ્લા 3 વર્ષથી તે યોગ શીખી રહી છે. તે શારિરીક અને માનસીક બિમારીઓથી પણ પીડાઈ રહી છે જેનો કોઈ ઈલાજ નથી.
અન્વીને રબર ગર્લનું નામ આપવામાં આવ્યું છે. આજે કલેક્ટર કચેરી ખાતે વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીએ તેને ઓવર્ડ આવ્યો હતો. આપને જણાવી દઈએ કે ગત 3 ડિસેમ્બરે અન્વીને રાષ્ટ્રપતિ કોવિંદના હસ્તે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ક્રિએટિવ ચાઈલ્ડ વિથ ડિસેબિલીટી કેટેગરીમાં પણ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
જન્મથી હ્રદયમાં ખામી
13 વર્ષની અન્વીને જન્મથીજ તેના હ્રદયમાં ખામી છે જેના કારણે તેની ઓપન હાર્ટ સર્જરી પણ થઈ ચૂકી છે. તેને માઈટ્રોટ વાલ્વ લિકેજ છે સાથેજ તેને 21 ટ્રાઈસોમી અને હાર્શ સ્પ્રિંગ ડિસીઝ પણ છે જેના કારણે કારણે તેના આંતરડા પર ગંભીર અસર થઈ છે પરિણામે તેને મળ ત્યાગ કરવામાં પણ સમસ્યા થતી હોય છે. સાથેજ તે 75 ટકા બૌદ્ધિક દિવ્યાંગતા ધરાવે છે.
રાષ્ટ્રીય કક્ષાએ બનાવી અલગ ઓળખ
જોકે અનેક સમસ્યાઓ હોવા છતા પણ આજે તેણે રાષ્ટ્રીય કક્ષાએ તેની અલગ ઓળખ બનાવી છે. છેલ્લા 3 વર્ષમાં અન્વીએ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ઘાઓમાં 3 ગોલ્ડ મેડલ જીત્યા છે અને અત્યાર સુધીમાં તેણે 42 યોગ સ્પર્ધાઓમાં ભાગ લીઘો છે. તેણે અત્યાર સુધીમાં કુલ 51 જેટલા મેડલો જીત્યા છે.
દિવ્યાંગો માટે રોલ મોડેલ
ઉલ્લેખનીય છે કે શારિરીક રીતે સ્વસ્થ ન હોવા છતા પણ અન્વીએ આજે રાષ્ટ્રીય કક્ષાએ તેની અલગ ઓળખ બનાવી છે. જેથી દિવ્યાંગો માટે તેને એક રોલ મોડલ કહી શકાય. સાથેજ આજે મોટા ભાગના લોકો તેની કળાના વખાણ કરી રહ્યા છે