ઓમિક્રૉન વેરિયન્ટને ગુજરાતમાં પ્રવેશતા અટકાવવા માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે
ગુજરાત સરકારનો મોટો નિર્ણય
ઓમીક્રોન વેરિઅન્ટને અટકાવવા નિર્ણય
11 દેશોમાંથી આવનાર માટે RT-PCR ફરજીયાત
કોરોનાના નવા ઓમીક્રોન વેરિઅન્ટને લઇ ગુજરાત સરકાર એલર્ટ
દુનિયાભરમાં કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ જેને ઓમિક્રૉન નામ આપવામાં આવ્યું તેને લઈને ખૂબ જ ચિંતા ફેલાઈ ગઈ છે. પ્રધાનમંત્રી મોદી પણ તાબડતોબ ટોચના અધિકારીઓ સાથે બેઠકો કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર પણ હવે અલર્ટ થઈ ગઈ છે. નોંધનીય છે કે આ વેરિયન્ટનાં કારણે દુનિયાના કેટલાય દેશોમાં ઈમરજન્સી જેવી સ્થિતિ લાગુ કરી દેવામાં આવી છે, WHOએ પણ દુનિયા આખીને અલર્ટ થઈ જવા માટે ચેતવણી આપી છે. નિષ્ણાતો માને છે કે આ નવો વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ ખતરનાક છે.
ઓમીક્રોન વેરિઅન્ટને અટકાવવા ગુજરાત સરકારનો નિર્ણય
ગુજરાત સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. વેરિયન્ટને ગુજરાતમાં પ્રવેશતા અટકાવવા માટે 11 દેશોમાં ગુજરાત આવતા નાગરિકો પર RT-PCR રિપોર્ટ ફરજિયાત કરી દેવાના આદેશ આપવામાં આવ્યા છે. ગુજરાતનાં કોઈ પણ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ આ દેશથી આવતા લોકોએ RTPCR બતાવવો પડશે.
ભારત સરકારની એક બાદ એક તાબડતોબ બેઠકો
કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ કારણે આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. દુનિયાભરમાં અલગ અલગ જગ્યાએ ઈમરજન્સી લગાવવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું ટેન્શન પણ વધી ગયું છે કારણ કે આ વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે. એવામાં હવે ભારત સરકાર તાબડતોબ એક્શનમાં આવી છે. એક બાજુ આજે પ્રધાનમંત્રી મોદીએ હાઇલેવલ બેઠક કરી હતી ત્યાં કેન્દ્રના અલગ અલગ મંત્રાલય પણ એક્શન મોડમાં કામ કરી રહ્યા છે. જે દેશોમાંથી કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે તે દેશોમાં ફ્લાઇટ્સ બેન લગાવવો કે નહીં તે મુદ્દે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલય વચ્ચે હાઇલેવેલ મીટિંગ થઈ છે. આ મીટિંગ બાદ શક્યતા છે કે ટૂંક જ સમયમાં ભારતમા કોરોના વાયરસનાં નવા વેરિયન્ટને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી શકે છે.