ભાવનગરઃ દહેજ-ઘોઘા રો-રો ફેરીનું પ્રથમ ટ્રાયલ કરવામાં આવ્યુ છે. ઘોઘાથી દહેજ સુધી ફેરી પરીક્ષણ સફળ રહ્યું છે. અગાઉ દહેજ ખાતે પોન્ટુનમાં ખામી સર્જાઇ હતી. 26 ઓક્ટોબર સુધી ટ્રાયલ ચાલુ રહેશે. ટ્રાયલમાં ફ્રીમાં વાહનોની અવરજવર કરવામાં આવશે.
ઘોઘા રો-રો ફેરીમા ટ્રકને જહાજમાં ચઢાવવાની લેવાઇ હતી ટ્રાયલ
રો રો ફેરીનું પ્રથમ ટ્રાયલ શરૂ કરાયું છે ત્યારે પહેલા જહાજમાં ટ્રકને ચઢાવવા આવી હતી. પોન્ટુનની ઉંચાઈ વધુ હોવાના કારણે ટ્રક ચાલકો પરેશાન થઈ શકે છે.
મહત્વનુ છે કે સરકાર દ્વારા રોરો ફેરીમાં મોટા વાહનો જઈ શકે છે. જેનાથી માલ-સામાનની હેરાફેરી કરવામાં સરળતા થઈ શકે છે. જોકે રોરો ફેરી જહાજની ઉંચાઈ વધુ હોવાના કારણે ટ્રક ચાલકોને પરેશાની થઈ શકે છે.
પીએમ મોદીના હસ્તે રો-રો ફેરીનુ લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા
મળતી માહિતી પ્રમાણે આગામી 12 ઓક્ટોબરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે રો-રો ફેરીના લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પરંતુ દહેજમાં પોન્ટુન તુટી જવાથી રો-રો ફેરી મોકૂફ રખાય હતી. જેથી હવે રો-રો ફેરી દિવાળી પછી જ શરૂ થાય તેવા એંધાણ છે.
મહત્વનુ છે કે રો-રો ફેરીનો પ્રોજેક્ટ પીએમ મોદીનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. પીએમ મોદી 31 ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીના હસ્તે રો-રો ફેરીનુ લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે.