બોલીવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરે ગુરૂવારે સવારે 8.42 કલાકે આ દુનિયાને અલવિદા કહ્યું. મુંબઇની હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ દેશ શોક મગ્ન બન્યો. ત્યારબાદ ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર મુંબઇના મરીન લાઇન સ્થિત ચંદનવાડી સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યા.
ઋષિ કપૂરનું દેહાવસાન
દીકરી રિદ્ધિમાં ન જોઇ શકી પિતાનું અંતિમ વખત મુખ
ડીજીસીએએ મંજૂરી ન આપી
જેમાં તેમના પુત્ર રણબીર કપૂર, પત્ની નીતૂ કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર, સૈફ અલી ખાન સહિત 25 લોકો હાજર રહ્યા હતા.નોંધનીય છે કે, આ તમામ વચ્ચે તેની દીકરી રિદ્ધિમા કપૂર સાહની તેમના અંતિમ દર્શન ન કરી શકી.
મુંબઈ એરપોર્ટ ઓથોરિટી પાસે દીકરીએ માગી ખાસ મંજૂરી
રિદ્ધિમા કપૂર સાહનીએ મુંબઈ એરપોર્ટ ઓથોરિટી પાસેથી પિતાના અંતિમ સંસ્કારમાં ભાગ લેવા ખાસ પરવાનગી માંગી હતી, જે પ્રક્રિયામાં હતી. અગાઉ રિદ્ધિમાને દિલ્હીથી મુંબઇ પહોંચવા માટે સડક માર્ગે દ્વારા જવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ તેમને સડક માર્ગે જતાં 24 કલાકનો સમય લાગેત અને કેન્સર પીડિત ઋષિ કપૂરના પાર્થિવ દેહને એટલો સમય રાખી શકાય તેમ નહોંતું.
ડીજીસીએએ મંજૂરી ન આપતા દીકરી ન જોઇ શકી પિતાનું મુખ
માટે જ રિદ્ધિમા કપૂરે ખાનગી જેટથી મુંબઇ પહોંચવાની પરવાનગી માંગી હતી, ત્યારબાદ રિદ્ધિમાને ખાનગી જેટ દ્વારા મુંબઈ જવાનું લગભગ નક્કી હતું, પરંતુ છેલ્લે ડીજીસીએએ મંજૂરી ન આપી અને રિદ્ધિમાને મળતી પરવાનગી રદ્દ કરી દીધી, જેના કારણે તેણી તેના પિતાના અંતિમ દર્શન કરવા મુંબઈ પહોંચી શકી નહીં.
નજીકના સ્વજનોની હાજરીમાં કરાયા અંતિમ સંસ્કાર
રિદ્ધિમાના પરિવારને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તેઓએ જલ્દીથી ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો અને તેમના મૃતદેહને હોસ્પિટલથી સ્મશાન ઘાટ તરફ લઈ જવામાં આવ્યો, જ્યાં નજીકના લોકોની હાજરીમાં, ઋષિ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રિદ્ધિમાના પરિવારના નજીકના સંબંધીઓના જણાવ્યા મુજબ, રિદ્ધિમા મુંબઇ કેવી રીતે આવશે તે હજી સ્પષ્ટ નથી થયું.