દિલ્હી કેપિટલ્સ આ વખતે પોતાના કેપ્ટન શ્રેયસ ઐયર વગર જ મૅચ રમી રહી છે. ત્યારે દિલ્હી કેપિટલ્સના કોટ રિકી પોંટીંગે કહ્યું કે 12મા ખેલાડીની જરૂર છે આવી જા.
પોન્ટિંગે કરી ઐયર સાથે વાત
12મો ખેલાડી બનવાની કરી ઑફર
ઐયર ત્રીજી મૅચમાં દેખાશે સ્ટેડિયમમાં
ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝન રમાઇ રહી છે. 2021માં ઋષભ પંત દિલ્હી કેપિટલ્સનો કપ્તાન છે. પંતની કપ્તાનીમાં પહેલી મૅચ ખુબ જ શાનદાર રહી અને ચેન્નઇ સુપર કિંગ્સને મ્હાત આપી હતી. મૅચ બાદ રિકી પોંટીંગે શ્રેયસ ઐયરને વિશેષ અનુરોધ કર્યો છે.
દિલ્હી કેપિટલની જીત બાદ પોંટીંગે કહ્યું કે નવા કેપ્ટન ઋષભ પંતની ટીમમાં તે 12મા ખેલાડીની ભૂમિકા ભજવી શકે છે. ખેલાડીઓને પાણી પીવડાવી શકે છે. મહત્વનું છે કે વિસ્ફોટક બેટ્સમેન શ્રેયસ ઐયરને ખભા પર ઇજા થઇ અને તે આઇપીએલમાંથી બહાર થઇ ગયા હતા.
શ્રેયસ ઐયરે પોતાની કપ્તાનીમાં દિલ્હી કેપિટલ્સને નવી ઉંચાઇઓ પર પહોંચાડ્યુ છે. તેની કપ્તાનીમાં ગયા વર્ષે ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. રિકી પોંટીંગે કહ્યું કે દિલ્હીનો આ સ્ટાર સિઝનમાં 12મા ખેલાડી તરીકે જોવા મળી શકે છે. તેણે કહ્યું કે, તું ઘણુ મિસ કરી રહ્યો છે. આવ અમારી સાથે જોડાઇ જા, ફક્ત સાત દિવસ ક્વોરંટાઇન છ. મારો વિશ્વાસ છે કે જલ્દી વિતી જશે, અમને 12મા ખેલાડીની જરૂર છે જે ટીમને પાણી પીવડાવી શકે.
દિલ્હી કેપિટલ્સે સોશ્યલ મિડીયામાં શૅર કરેલ વીડિયોમાં રિકીએ આવું કહ્યું, શ્રેયસ ઐયરે કહ્યું તે ત્રીજી મૅચમાં દેખાશે. તેણે કહ્યું, હું મારી ટીમને ચીયર કરવા માટે સાથે રહીશ. કાલે હું નહી આવી શકુ પરંતુ ત્રીજી મેચમાં ચોક્કસ આવીશ.