સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મુદ્દે રિયા ચક્રવર્તી અને તેનો પરિવાર શંકાના ઘેરામમાં છે. શુક્રવારે મોડી રાત સુધી ઈડીએ રિયાની પૂછપરછ કરી હતી. લગભગ 8 કલાક ચાલેલી પૂછપરછમાં રિયાએ કહ્યું- તેણે પોતાના ઈન્વેસ્ટમેન્ટમાં સુશાંતના રૂપિયા વાપર્યા નહોતા. સાથે જ તેણે જણાવ્યું કે, તેણે મુંબઈના સનઅર્બન વિસ્તારમાં ફ્લેટ ખરીદવા માટે બેંકમાંથી લોન લીધી હતી.
રિયા ચક્રવર્તી અને તેનો પરિવાર શંકાના ઘેરામાં
સુશાંત આત્મહત્યા મુદ્દે ઇડીએ 8 કલાક પૂછપરછ કરી
રિયાએ સુશાંતના રૂપિયાને લઈને કહી આ વાત
રિપોર્ટ પ્રમાણે, રિયાએ પૂછપરછમાં ઈડીને જણાવ્યું કે, ખાર (ઈસ્ટ)માં તેણે 85 લાખ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો છે, જેના માટે તેણે બેંકમાંથી લોન લીધી હતી. આ ફ્લેટ ખરીદવા માટે તેણે 25 લાખ રૂપિયા પોતાની સેવિંગ્સમાંથી ઈન્સ્ટોલમેન્ટમાં ચૂકવ્યા હતા. આ સાથે રિયાએ તેના પર્સનલ ખર્ચાઓ માટે પણ સુશાંતના રૂપિયા વાપર્યા ન હોવાની વાત કરી છે. તેણે દાવો કર્યો છે તે પોતાની કમાણીમાંથી જ ખર્ચ કરતી હતી.
રિયાએ જણાવ્યું કે, તે સુશાંતની 2 ફર્મમાંથી માત્ર એકમાં જ ડાયરેક્ટર હતી. જ્યારે તેનો ભાઈ શોવિક 2 કંપનીઓમાં ડાયરેક્ટર છે. આ બંને કંપનીઓ ઈડીના રડારમાં છે. ઈડી ફરી રિયાને પૂછપરછ માટે બોલાવી શકે છે. ઈડીએ રિયાની સાથે સુશાંતની પૂર્વ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીની પણ પૂછપરછ કરી હતી. ઈડીના અધિકારી ખાર (ઈસ્ટ) સિવાય નવી મુંબઈમાં રિયાએ ખરીદેલા બે ફ્લેટની ઈડી કરી રહ્યાં છે.
રિયાની પૂછપરછ બાદ ઈડીએ તેના ભાઈ શોવિકની પણ પૂછપરછ કરી છે અને હવે તેના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તીને પૂછપરછ માટે બોલાવ્યા છે. ઈડી સુશાંતના ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શનની તપાસ કરી રહ્યું છે. સુશાંતના પિતાએ રિપોર્ટમાં દાવો કર્યો છે કે